Nov 14, 2020

ભાગવત રહસ્ય -૪૪૬

શ્રીકૃષ્ણના વિરહ માં નંદબાબા પાગલ બન્યા છે.એક એક વાત સંભાળી-સંભાળીને  ઉદ્ધવને કહે છે-આ જમુના છે,જેમાં કનૈયો જલક્રીડા કરતો હતો,આ તે જ ગિરિરાજ છે,
જે તેણે એક આંગળી પર ઉઠાવી લીધેલો,આ તે જ વન-પ્રદેશ છે જ્યાં કનૈયો ગાયોને ચરાવતો મિત્રો સાથે અનેક પ્રકારની રમતો રમતો,અને વાંસળી વગાડતો.આ બધું જોઈને મારું મન કૃષ્ણ-મય થઇ જાય છે.મને એવો ભાસ થાય છે કે મારો કનૈયો મથુરા ગયો જ નથી.

Nov 13, 2020

ભાગવત રહસ્ય -૪૪૫

ગ્વાલ-બાલો પણ કૃષ્ણના મથુરા ગયા પછી,મથુરાના માર્ગ પર બેસી રોજ પ્રતીક્ષા કરતા.
“મને લાલાએ કહ્યું છે કે હું આવીશ” એટલે રોજ રાહ જુએ છે,સાંજ પડે પણ શ્રીકૃષ્ણ,ના આવે એટલે રડતા,રડતા ઘેર જાય છે.રોજના નિયમ મુજબ આજે પણ બાળકો મથુરાના રસ્તા પર રાહ જોઈ બેઠા છે.ત્યાં દુરથી રથ આવતો દેખાણો.બાળકો એ મનથી વિચાર કર્યો કે અમારો કનૈયો આવ્યો. એટલે તે દોડતા દોડતા રથ પાસે જવા લાગ્યા પણ તેમણે કોઈને રથમાંથી ઉતરતા કે કૂદકો મારતા ન જોયા.

Nov 12, 2020

ભાગવત રહસ્ય -૪૪૪

આ બાજુ વ્રજમાંથી કનૈયો ગયો એટલે સઘન વ્રજની બધી કુંજો વેરાન થઇ ગઈ છે.
યમુનાનાં જળ જાણે ગોપીઓના આંસુઓથી વહી રહ્યાં હોય તેવાં લાગે છે,ગાયો ખડ ખાતી નથી.વારંવાર મથુરા તરફ નિહાળી ભાંભરે છે.શ્રીકૃષ્ણ મથુરા ગયા પછી,
નંદ-યશોદાએ અનાજ લીધું નથી.”કનૈયો ના આવે ત્યાં સુધી ખાવું નથી.” નંદ-યશોદાના શરીર કૃશ થયા છે અને આંખો ઊંડી ઉતરી ગઈ છે.રાત્રે નિંદ્રા આવતી નથી અને દિવસે ગમતું નથી.લાલાના વિરહમાં જીવ અકળાય છે,આંસુ નીકળે છે.