Dec 19, 2020
ભાગવત રહસ્ય -૪૮૦
આત્મ-સ્વ-રૂપ
ભગવાન સમસ્ત પ્રાણીઓમાં આત્મ-રૂપે=નિયંતા રૂપે રહેલા છે.(સ્થિત છે).જે
મનુષ્ય ન્યૂનતા (ઓછું) કે અધિકતા (વધારે) ના જોતાં સર્વત્ર પરિપૂર્ણ ભગવત સત્તા જ
જુએ છે,અને
સાથોસાથ સમસ્ત પ્રાણી કે પદાર્થ,આત્મ-સ્વ-રૂપ ભગવાનનું જ સ્વ-રૂપ છે,એવું સમજે છે.વળી,
જેને તેવો અનુભવ થઈને આવી દૃષ્ટિ સિદ્ધ થઇ
છે,
તે
ભગવાન નો પરમપ્રેમી ઉત્તમ ભાગવત ભક્ત છે.(૧૧-૨-૪૫)
Subscribe to:
Posts (Atom)