Dec 20, 2020

ભાગવત રહસ્ય -૪૮૧

મહાભારતના વન-પર્વમાં યુધિષ્ઠિર અને યક્ષનો સંવાદ આવે છે. 
તેમાં યક્ષે યુધિષ્ઠિરને એક પ્રશ્ન પૂછેલો કે –“આ દુનિયામાં મોટામાં મોટું આશ્ચર્ય શું છે?” 
ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો છે-કે-
'અહ્ન્યાનિ ભૂતાની ગચ્છન્તિ યમમંદિરમ,શેષા સ્થિરત્વમિચ્છન્ત્તી કિમાસ્ચર્યમતઃપરમ'.
(દરરોજ સેંકડો જીવો યમરાજને ઘેર જઈ રહ્યા છે,તે જોવા છતાં (તો પણ) બીજા બાકી રહી ગયેલા લોકો તો,એમ જ માને છે કે પોતે મરવાના જ નથી.અને એમ માની દુનિયામાં મનસ્વી રીતે રહે છે.આથી મોટું બીજું શું આશ્ચર્ય હોઈ શકે?)