Dec 21, 2020

ભાગવત રહસ્ય -૪૮૨ (ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

ભગવાન શ્રીકૃષ્ણે હવે ઉદ્ધવને ટૂંકાણમાં જ્ઞાનનો ઉપદેશ કરે છે.(મહાત્માઓ તેને "ઉદ્ધવ-ગીતા" પણ કહે છે) સાંદીપની ગુરૂ એ જે દક્ષિણા માગેલી –કે “જ્ઞાન કોઈ યોગ્ય વ્યક્તિ ને આપી આગળ વધારજે” આજે તેમણે તે આજ્ઞા પુરી કરીને સ્વધામ જતાં પહેલાં જ્ઞાન ઉદ્ધવને આપી ને ગયા છે.શ્રીકૃષ્ણ કહે છે કે-ઉદ્ધવ,આ બધો માયાનો ખેલ છે.
ભ્રમ છે,સંસાર અસત્ય છે અને માત્ર આત્મા જ સત્ય છે.

Dec 20, 2020

ભાગવત રહસ્ય -૪૮૧

મહાભારતના વન-પર્વમાં યુધિષ્ઠિર અને યક્ષનો સંવાદ આવે છે. 
તેમાં યક્ષે યુધિષ્ઠિરને એક પ્રશ્ન પૂછેલો કે –“આ દુનિયામાં મોટામાં મોટું આશ્ચર્ય શું છે?” 
ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો છે-કે-
'અહ્ન્યાનિ ભૂતાની ગચ્છન્તિ યમમંદિરમ,શેષા સ્થિરત્વમિચ્છન્ત્તી કિમાસ્ચર્યમતઃપરમ'.
(દરરોજ સેંકડો જીવો યમરાજને ઘેર જઈ રહ્યા છે,તે જોવા છતાં (તો પણ) બીજા બાકી રહી ગયેલા લોકો તો,એમ જ માને છે કે પોતે મરવાના જ નથી.અને એમ માની દુનિયામાં મનસ્વી રીતે રહે છે.આથી મોટું બીજું શું આશ્ચર્ય હોઈ શકે?)