Dec 28, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-89-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-89


ભાગવત રહસ્ય -૪૮૯

જગતમાં સર્વને ખબર છે કે એકલા જવાનું છે,સંસારના સર્વ સંબંધો જુઠ્ઠા છે.તો પણ સ્ત્રીને પુરુષ વગર કે પુરુષને સ્ત્રી વગર,કે બંનેને બાળકો વગર ચેન પડતું નથી.
આના પર એક બહુ સરસ દૃષ્ટાંત છે.એક મહાત્મા કથા કરતા હતા.ગામના શ્રીમંત નગરશેઠનો પુત્ર રોજ કથા સાંભળવા આવે,પણ સાંજના ૬ વાગે એટલે તરત કથામાંથી ઉઠીને ચાલ્યો જાય.મહાત્મા રોજ આ જોયા કરે,એક દિવસ તેને પૂછ્યું.