Jan 1, 2021

ભાગવત રહસ્ય -૪૯3 (સંપૂર્ણ)

શુકદેવજી કહે છે કે-રાજા,તારા લીધે મને કૃષ્ણ-કથા કરવાનું મળ્યું,હું પણ કૃતાર્થ થયો.તારા લીધે મને પણ કૃષ્ણ-પ્રેમમાં તન્મયતા થઇ.મારા હૃદયમાં શ્રીકૃષ્ણ આવી વિરાજ્યા.રાજા,તારા શરીર ને તક્ષક નાગ કરડશે તે મારાથી જોઈ શકાશે નહિ.આગળ નો પ્રસંગ જોવાની મારી જોવાની ઈચ્છા નથી.રાજા,તારા મનમાં કાંઇ શંકા હોય તો પ્રશ્ન કર.કારણ મારે જવું પડશે,હું બ્રહ્મ-નિષ્ઠ છું,તક્ષક મારી હાજરીમાં આવશે ને મારી નજરે ચડશે તો તેનું ઝેર અમૃત થઇ જશે.