Jan 10, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯

આ જગતનો એક સૃષ્ટિ-ક્રમ છે.જેવી રીતે ગંગાનું પાણી ઉત્પન્ન થાય છે-વચ્ચે પ્રવાહ (નદી) રૂપે રહે છે અને પછી સમુદ્રમાં જઈ મળી જાય છે.એ જ રીતે જગતની ઉત્પત્તિ (સર્ગ)થાય છે, કોઈ એક સ્થિતિ (જીવન)માં રહે છે,અને પછી તેનો નાશ (પ્રલય) થાય છે.
જેનો જન્મ થાય છે-તેનું મૃત્યુ થાય જ છે- અને- જેનું મૃત્યુ થાય છે-તેનો પુનર્જન્મ થાય છે.
આ ઘટનાને ટાળવી હોય તો પણ તે ટાળી ન શકાય તેવી છે-

Jan 9, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-11-Adhyaya-7-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-11-અધ્યાય-7


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮

સ્વપ્નમાં કોઈ મનુષ્ય પર વાઘ હુમલો કરે તો તે –મનુષ્ય દુઃખી થઇ જાય છે.
પણ જાગે તો ખબર પડે કે-તેની આજુ બાજુ ક્યાંય વાઘ તો છે જ નહિ.
પણ સ્વપ્નમાં તો-- સ્વપ્ન નો વાઘ સાચો જ લાગે છે.અને દુઃખી કરે છે.
તેવું જ માયાનું છે-માયા સાચી લાગે છે-પણ સ્વપ્નની જેમ –તે સાચી નથી.
તેમ છતાં તે સાચી છે –તેવો  ભ્રમ (ભ્રાંતિ) કરાવે છે.