અધ્યાય-૪-જ્ઞાન કર્મ સંન્યાસયોગ 
અર્જુન પ્રત્યેનો
શ્રીકૃષ્ણ નો પ્રેમ અલૌકિક છે.જે પરમાત્મા  વેદોના અધ્યયનથી  જાણવામાં આવતા નથી,કે પછી,યોગીઓને ધ્યાનમાં
પણ જેનાં દર્શન થતાં નથી,તે પરમાત્મા (સાકાર
સ્વ-રૂપે) કયા કારણથી અર્જુન
પર કૃપા કરે છે,તે જાણી શકાતું નથી.જે વાત તેમણે,માતા,પિતા,ભાઈ કે પત્નીને પણ કહી નહોતી તે વાત આજે તેમણે અર્જુનને કહી. 