Feb 16, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૨


જેમણે પોતાના મનને વિષયોમાંથી પાછું વળી લઇ અને મન ઉપર વિજય કરીને
“બ્રહ્મ” સ્થિતિ  (બ્રહ્માકર સ્થિતિ) પ્રાપ્ત કરી છે-તેમને –
આવું આત્મ-સ્વ-રૂપ નું ભાન કેવી રીતે અને કયા માર્ગ પર ચાલવાથી થયું હશે ?
જગતના દરેકે દરેક -આપણા જેવા સામાન્ય માનવી-ને આવી બ્રહ્માકાર સ્થિતિ પ્રાપ્ત નથી.કરોડોમાં એક ને આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે.

Feb 15, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-11-Adhyaya-27-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-11-અધ્યાય-27


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૧

જગતના સર્વ તત્વમાં,પ્રાણીમાં,મનુષ્યમાં-એક-જ ચૈતન્ય (બ્રહ્મ) રહેલું છે.
આ રહસ્ય સમજીને જ્ઞાની મનુષ્ય સર્વમાં સર્વેશ્વર (ઈશ્વર-પરમાત્મા) જુએ છે.
ત્યારે તેની દૃષ્ટિ એ સમદૃષ્ટિ (સમાન દૃષ્ટિ) થઇ છે-એમ કહી શકાય.
આવો મહાત્મા-એ પોતે જ –બ્રહ્મ (પરમાત્મા) થઇ જાય છે.(શિવોહમ-અદ્વૈત)
એટલે –કે-જેમ બ્રહ્મમાં કોઈ દોષ નથી,તેવી જ રીતે તે કોઈ પણ દોષ વગરનો થઇ જાય છે.તેણે,જન્મ-મરણને જીતી લીધાં છે-તેનાં બધાં બંધનો છૂટી જાય છે -અને-તે મુક્ત રીતે ફરે છે. (૧૯)