Feb 25, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૯

શ્રીકૃષ્ણ કહે છે-જે યોગી,”એક નિષ્ઠા”થી (૧)સર્વ કાળે,સર્વ પ્રાણીમાત્રમાં રહેલા(આત્માને)
(૨) જગતની સર્વ વસ્તુમાં રહેલા “ચૈતન્ય” ને –તે પરમાત્મા થી અલગ નથી,
એમ સમજી –તે સર્વમાં આદર રાખી,તેમને ભજે છે-તે –યોગી-મને (પરમાત્માને) જ ભજે છે.
પછી તે ગમે તે પ્રકારે વર્તતો હોય 
–તો પણ તે મારા (પરમાત્માના) સ્વ-રૂપમાં જ રહેલો હોય છે.(૩૧)

Feb 24, 2021

Shrimad Bhagvat-As It Is-Skandh-12-Adhyaya-1-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-12-અધ્યાય-1


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૮

એક રીતે જોવા જતાં આ યોગ-માર્ગ સુલભ છે.(માર્ગ-૧)
(મનના) “સંકલ્પ” નું “સંતાન” 
(સંકલ્પ=“મન”સંકલ્પ કરે છે-હું આમ કરીશ તો આમ થશે-કે આટલું ફળ મળશે- તે-
સંતાન =કે જેને વિષયો(સ્વાદ-વગેરે),કામ-ક્રોધ વગેરે ના નામથી બોલાવી શકાય,તે)
જયારે મરી જાય છે-ત્યારે-“સંકલ્પ” ને પોતાનું આ સંતાન મરી ગયાનું દુઃખ(શોક) થાય છે,