Feb 27, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૧-અધ્યાય-૭-જ્ઞાન-વિજ્ઞાન યોગ

અધ્યાય-૭-જ્ઞાન-વિજ્ઞાન યોગ-૧
શ્રીકૃષ્ણ કહે છે-કે-
-યોગ નો (આગળના અધ્યાય -૬ માં બતાવ્યો તે) અભ્યાસ કરીને-
--અહીં તહીં ભટકતા તારા મનને–મારામાં (આત્મામાં-પરમાત્મામાં) જ આસક્ત કરીને-અને --કેવળ મારો (આત્માનો-પરમાત્માનો) આશ્રય ધરીને-(શરણમાં જઈને)
તું મારું (આત્માનું-પરમાત્માનું) સ્વરૂપ –કોઈ પણ સંશય વગર –
કેવી રીતે જાણી શકીશ-તેનું “જ્ઞાન” કહું છું.(૧)

Feb 26, 2021

Shrimad Bhagvat-As It Is-Skandh-12-Adhyaya-3-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-12-અધ્યાય-3


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૦

આગળ બતાવ્યા પ્રમાણેના યોગનો (અથવા બીજા કોઈ પણ જાતના યોગનો)-જે મનુષ્ય
અભ્યાસ (યમ,નિયમ,પ્રાણાયામ-વગેરે)  કરતો નથી- અને-જેના માં વૈરાગ્ય (અનાશક્તિ) નથી –તેનું મન કદી પણ વશ થઇ શકવાનું નથી.
વિષયો (સ્વાદ-વગેરે) માં લંપટ થયેલા ટેઢા -“મન” ને –
અભ્યાસ (યોગ) અને વૈરાગ્યની ચીમટી ખણીને,તેના કાન મચેડીને –સીધું કરવાનું છે.