Mar 6, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૮

અંત (મરણ) સમયે આવી રીતે કારનું સ્મરણ કરવું તે સામાન્ય માનવી માટે સહેલું નથી.
બધા જ લોકો આમ કરી શકે કે કેમ તે સવાલ છે.એટલે અહીં એક સહેલો ઉપાય (માર્ગ) પણ બતાવ્યો છે. (જપયોગ) જીવનભર ઈશ્વરનું સતત સ્મરણ કરવું (નામ-જપ) તે સહુથી સહેલો ઉપાય છે.જે બીજા કોઈ પણ પદાર્થનો વિચાર નહિ કરતાં-એક ચિત્તથી –સ્થિર-થઇ –સતત પરમાત્માનું સ્મરણ કરે છે-તેને–અંત સમયે પરમાત્માનું જ સ્મરણ રહે છે-અને-
પરમાત્માને સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે (પામી શકાય છે).(૧૪)

Mar 5, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-8-Adhyaya-4-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-8-અધ્યાય-4


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૭

સાધારણ નિયમ એવો છે કે-અંતસમયે (મરણ સમયે) અંતઃકરણમાં જેનું સ્મરણ થાય છે, અથવા મનમાં વાસનાઓ રહી જાય છે-તો-જ- તેનો  બીજો જન્મ થાય છે.એટલે-કે- 
જે મનુષ્યો-મનમાં જે જે ભાવ લાવીને –શરીરને છોડે છે-(મૃત્યુ પામે છે) –
તે તેમના બીજા જન્મમાં -આગળના જન્મમાં મરતી વખતે  મનમાં જે ભાવ હતા –
તેવા ભાવ સાથે જ તે જન્મ લે છે.(૬)