કારણ કે “હું સર્વ જીવોનો સ્વામી (માલિક) છું,
એવું મારું જે ઉત્કૃષ્ટ (નિરાકાર-નિર્ગુણ-સત્ય) સ્વરૂપ છે-તેનું જ્ઞાન –તે (મૂર્ખ) લોકો ને જ હોતું નથી.”.(૧૧)
જેને કમળો થયો હોય તેને બધું પીળું જ દેખાય છે-અથવા-
જો મનુષ્યને તાવ આવ્યો હોય તો તેને દૂધ પણ ઝેર
જેવું કડવું લાગે છે,
તેમ મૂર્ખ લોકોને પરમાત્માના નિર્મળ સ્વરૂપમાં
દોષ જ દેખાય છે.