Mar 12, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૩

શ્રીકૃષ્ણ કહે છે-કે-જે લોકો એકનિષ્ઠ થઈને મારું ચિંતન કરી-મારી ઉપાસના કરે છે-અને  
પોતાનું મન સંપૂર્ણપણે-પૂર્ણ ભાવથી મારામાં અર્પણ કરી દે છે,-એટલે કે-જે મારી “સંપૂર્ણ શરણાગતિ” સ્વીકારીને પોતાનો સર્વ બોજો (ભાર) મારા પર નાંખી દે છે, તેમના
યોગક્ષેમને (જીવન નિર્વાહને) હું ચલાવ્યા કરું છું (યોગક્ષેમ વહામ્યહમ) (૨૨)

Mar 11, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-8-Adhyaya-6-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-8-અધ્યાય-6


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૨

શ્રીકૃષ્ણ કહે છે-કે-મેં મનુષ્ય-દેહ ધારણ કરેલો હોવાથી,મૂર્ખ લોકો મારી ઉપેક્ષા (અવજ્ઞા) કરે છે.
કારણ કે “હું સર્વ જીવોનો સ્વામી (માલિક) છું, એવું મારું જે ઉત્કૃષ્ટ (નિરાકાર-નિર્ગુણ-સત્ય) સ્વરૂપ છે-તેનું જ્ઞાન –તે (મૂર્ખ) લોકો ને જ હોતું નથી.”.(૧૧)
જેને કમળો થયો હોય તેને બધું પીળું જ દેખાય છે-અથવા-
જો મનુષ્યને તાવ આવ્યો હોય તો તેને દૂધ પણ ઝેર જેવું કડવું લાગે છે,
તેમ મૂર્ખ લોકોને પરમાત્માના નિર્મળ સ્વરૂપમાં દોષ જ દેખાય છે.