શ્રીકૃષ્ણ કહે છે-કે-જે લોકો એકનિષ્ઠ થઈને મારું
ચિંતન કરી-મારી ઉપાસના કરે છે-અને
પોતાનું મન સંપૂર્ણપણે-પૂર્ણ ભાવથી મારામાં અર્પણ
કરી દે છે,-એટલે કે-જે મારી “સંપૂર્ણ શરણાગતિ” સ્વીકારીને પોતાનો
સર્વ બોજો (ભાર) મારા પર નાંખી દે છે, તેમના
શ્રીકૃષ્ણ કહે છે-કે-મેં મનુષ્ય-દેહ ધારણ કરેલો
હોવાથી,મૂર્ખ લોકો મારી ઉપેક્ષા (અવજ્ઞા) કરે છે.
કારણ કે “હું સર્વ જીવોનો સ્વામી (માલિક) છું,
એવું મારું જે ઉત્કૃષ્ટ (નિરાકાર-નિર્ગુણ-સત્ય) સ્વરૂપ છે-તેનું જ્ઞાન –તે (મૂર્ખ) લોકો ને જ હોતું નથી.”.(૧૧)
જેને કમળો થયો હોય તેને બધું પીળું જ દેખાય છે-અથવા-
જો મનુષ્યને તાવ આવ્યો હોય તો તેને દૂધ પણ ઝેર
જેવું કડવું લાગે છે,
તેમ મૂર્ખ લોકોને પરમાત્માના નિર્મળ સ્વરૂપમાં
દોષ જ દેખાય છે.