Mar 13, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-8-Adhyaya-8-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-8-અધ્યાય-8


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૪

પોતાનું (આપણું) “પોતાપણું (હું પણું-અહમ)” પરમાત્મામાં અર્પણ કર્યા સિવાય –
પરમાત્મામાં –આપણો ખરો પ્રેમ ઉત્પન્ન થયો છે- એવું કહી શકાય નહિ.
“હું ઈશ્વરનું જ્ઞાન ધરાવું છું” આવું  જ્ઞાન ધરાવવાનું અભિમાન જે રાખે છે-તેને ઈશ્વરનું જ્ઞાન નથી. “હું કૃતાર્થ થયો છું” એમ જે અભિમાન  કહે તે સાચી રીતે કૃતાર્થ થયો નથી.“હું મુક્ત થયો છું” એમ જે  અહમથી બોલે- તે મુક્ત થયો નથી.“મેં યજ્ઞ કર્યા,મેં ધર્માચરણ કર્યા,મેં તપ કર્યા” આવો જેને ઘમંડ છે-તેને ઈશ્વરની પ્રાપ્તિની યોગ્યતા નથી.