સકળ સૃષ્ટિમાં, માત્ર,હું (બ્રહ્મ) જ સર્વ દેવો અને મહર્ષિઓનું આદિ (મૂળ) કારણ છું.(૨)
પરમાત્મા(બ્રહ્મ)નું સ્વરૂપ જાણવામાં વેદોની
વાણી પણ કુંઠિત થઇ ગઈ છે.
જે પ્રમાણે,માતાના ઉદરમાં રહેલો ગર્ભ,માતાની ઉંમર
જાણવા માટે અસમર્થ છે,તે પ્રમાણે,
પરમાત્મામાંથી જ ઉદભવેલા દેવો-પરમાત્માને જાણવા
સમર્થ નથી.