Mar 17, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૭

શ્રીકૃષ્ણ કહે છે-કે-દેવો અને મહર્ષિઓને પણ મારી “ઉત્પત્તિ” વિષે જાણ નથી.
સકળ સૃષ્ટિમાં, માત્ર,હું (બ્રહ્મ) જ સર્વ દેવો અને મહર્ષિઓનું આદિ (મૂળ) કારણ છું.(૨)
પરમાત્મા(બ્રહ્મ)નું સ્વરૂપ જાણવામાં વેદોની વાણી પણ કુંઠિત થઇ ગઈ છે.
જે પ્રમાણે,માતાના ઉદરમાં રહેલો ગર્ભ,માતાની ઉંમર જાણવા માટે અસમર્થ છે,તે પ્રમાણે,
પરમાત્મામાંથી જ ઉદભવેલા દેવો-પરમાત્માને જાણવા સમર્થ નથી.