અધ્યાય-૧૧-વિશ્વરૂપદર્શન યોગ
અત્યાર સુધીમાં શ્રીકૃષ્ણે અર્જુનને આંતરદૃષ્ટિથી (જ્ઞાનદ્રષ્ટિથી) એ વસ્તુની તો પ્રતીતિ કરાવી દીધી કે-'સર્વ જગત ઈશ્વરરૂપ (પરમાત્મારૂપ-બ્રહ્મરૂપ-વિશ્વરૂપ)
છે'
જેના લીધે અર્જુનનો 'મોહ'-તો નાશ પામ્યો.પણ હજુ અર્જુન –શ્રીકૃષ્ણના સાકાર દેવ-સ્વરૂપમાં
– શ્રીકૃષ્ણના તે 'વિશ્વરૂપ' ના દર્શન કરી શકતો નથી.