Apr 9, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-1-Adhyaya-7-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-1-અધ્યાય-7


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૬-અધ્યાય-૧૪-ગુણત્રય વિભાગ યોગ

અધ્યાય-૧૪-ગુણત્રય વિભાગ યોગ
આગળના અધ્યાય-૧૩માં પુરુષ (પરમાત્મા-આત્મા) અને પ્રકૃતિ (માયા)નું વર્ણન કર્યું, અને કહ્યું-કે-બંનેના સંયોગથી જગતનું નિર્માણ થાય છે.પ્રકૃતિના ગુણોના 
આગ્રહથી જ પુરુષ (પરમાત્મા-આત્મા) સંસારમાં નિમગ્ન થાય છે. 
માયા (પ્રકૃતિ)ની ઉપાધિથી જ સુખ-દુઃખના નિર્માણ થાય છે.
અને તેનાથી-વિરુદ્ધ-ગુણાતીત (તેના સંગ વગરના) થવાથી મુક્ત થવાય છે.