Apr 12, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૮

જે પ્રમાણે-વસંત ઋતુમાં ફૂલોની સુગંધી ચારે તરફ પ્રસરે છે-તે પ્રમાણે-જયારે સત્વગુણ આ 
દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે---તે જીવાત્માનું જ્ઞાન અંતરમાંથી છલાછલ થઈને બહાર નીકળવા માંડે છે.--તેની સર્વ ઇન્દ્રિયોમાં વિવેક પ્રસરી રહેલો હોય છે. સત્કર્મ કયાં? અને દુષ્કર્મ કયાં? 
તે ઇન્દ્રિયો જ જાણી જાય છે.એને વિચાર કરવાની પણ આવશ્યકતા રહેતી નથી.જેમકે-બોલવા જેવું ન હોય તેવું ભાષણ જીભ બોલતી નથી,કાનને જે ના સાંભળવા જેવું હોય તે સાંભળતા જ નથી અને આંખ ને જે ના   જોવા જેવું હોય તે જોતી જ નથી.

Apr 10, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-1-Adhyaya-8-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-1-અધ્યાય-8


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૭

ગુણોનાં –સત્વ,રજસ અને તમસ એવાં નામો છે-અને તે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે.
(સત્વ=ઉત્તમ, રજસ=મધ્યમ અને તમસ=કનિષ્ઠ  કહેવાય છે.)
આ ગુણો જીવાત્માને કેવી રીતે અને કેવું બંધન કરે છે-તે હવે પછીના ત્રણ શ્લોક માં કહ્યું છે.
જયારે આત્મા શરીરમાં (ક્ષેત્રમાં) પ્રવેશ કરે છે,અને તે પછી જો જીવને -શરીરની મમતા કે
“આ દેહ મારો છે” કે “હું” એવું અભિમાન (અહમ) આવતું નથી ત્યાં સુધી કોઈ બંધન નથી.