Apr 15, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૧

આ વૃક્ષને -અહીં સંસાર-રૂપી-અશ્વત્થ-નામ આપેલું છે.
સંસ્કૃત શબ્દ- અશ્વત્થ-નો અર્થ થાય છે-“જે એક ક્ષણ માત્ર પણ એક સમાન નથી”
જે પ્રમાણે વ્યાકુળ મનુષ્યનું મન સ્થિર રહેતું નથી હોતું અને ક્ષણે ક્ષણે નવા વિચારો કરે છે-
તેવી જ આ સંસારરૂપી વૃક્ષની સ્થિતિ છે.
પ્રત્યેક ક્ષણે –તે સંસાર-રૂપી વૃક્ષનો નાશ થતો હોવાથી,તેને- અશ્વત્થ- કહેવામાં આવે છે.

Apr 14, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-1-Adhyaya-12-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-1-અધ્યાય-12


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૦-અધ્યાય-૧૫-પુરુષોત્તમ યોગ

અધ્યાય-૧૫-પુરુષોત્તમ યોગ
આગળના અધ્યાય -૧૪ ના અંતિમ ભાગમાં આવ્યા મુજબ એવો નિર્ણય થયો કે-
જેને બ્રહ્મજ્ઞાન (નિરાકાર બ્રહ્મ=પરમાત્માનું જ્ઞાન) ની પ્રાપ્તિ થઇ હોય છે-
તે જ મોક્ષ ને પામે છે.(મુક્ત થાય છે) પણ જે-યજ્ઞો કરે,સત્કર્મો કરે,સેવા પૂજા કરે,પુણ્યકર્મો કરે- –તેને “બ્રહ્મદેવનો લોક”એટલે કે-બ્રહ્મલોક –સ્વર્ગ-મળે છે.
જ્યાં સુખો ભોગવી ને પુણ્ય કર્મ પૂરું થતા ફરીથી જન્મ છે.