અધ્યાય-૧૫-પુરુષોત્તમ યોગ-૨
સંસ્કૃત શબ્દ- અશ્વત્થ-નો અર્થ થાય છે-“જે એક
ક્ષણ માત્ર પણ એક સમાન નથી”
જે પ્રમાણે વ્યાકુળ મનુષ્ય નું મન સ્થિર રહેતું
નથી હોતું અને ક્ષણે ક્ષણે નવા વિચારો કરે
છે-
તેવી જ આ સંસારરૂપી વૃક્ષ ની સ્થિતિ છે.
પ્રત્યેક ક્ષણે –તે સંસાર-રૂપી વૃક્ષ નો નાશ થતો
હોવાથી,તેને- અશ્વત્થ- કહેવામાં આવે છે.
બાકી વ્યવહારમાં –પીપળા-ને અશ્વત્થ-કહે છે,પણ
અહીં તેવો અભિપ્રાય નથી.
વળી આ સંસાર રૂપી વૃક્ષ ની ઉત્પત્તિ અને લય –અતિ
ઝડપથી થાય છે-એટલે તે નાશ પામતું કે-
ફરીથી પેદા થતું –નરી આંખે જોઈ શકાતું નથી,એટલે
તેને “અવ્યય” (અવિનાશી) પણ કહે છે.
જેવી રીતે રથનું ચક્ર (પૈડું) અતિ વેગ થી ફરતું
હોય તો તેની ગતિ –ના- દેખાવાથી –
તે ચક્ર સ્થિર હોય તેવું લાગે છે-તેવી રીતે-
આ સંસારરૂપી વૃક્ષ નિત્ય નાશ પામે છે-અને ઉત્પન્ન
થાય છે-તે જે જાણે છે-
તે જ સર્વજ્ઞ અને જ્ઞાતા (વેદવેતા-જ્ઞાની) છે.
....(૧)
ઉપર બતાવ્યું તેમ આ વૃક્ષ નું મૂળ સહુથી ઉપર
“બ્રહ્મ” છે.
તે મૂળ માંથી નીચેની બાજુએ-“બ્રહ્મદેવ”-વગેરે-ની
મૂળભૂત શાખા (થડ) થઇ ને તેની મનુષ્યો-જીવો ની
પ્રશાખાઓ (ઉપશાખાઓ) થઇ ને જે ડાળીઓ નીચે આવે છે,તેને
પણ મૂળિયાં ફૂટી,નીચેની બાજુ એ
વેલ વધી પાંદડાં આવે છે.
એટલે એમ પણ કહી શકાય કે-આ વૃક્ષ ની શાખાઓ ગુણો (સત્વ,રજસ,તમસ) થી વધેલી, અને-
વિષયો (શબ્દ,શ્વાસ-વગેરે) ના પાંદડાથી યુક્ત
હોવાથી, તે ઉપર થી નીચે સુધી પ્રસરેલી છે.
અને નીચેની બાજુ એ મનુષ્યલોક માં ડાળીઓને “કર્મો”
રૂપી મૂળો –ફૂટે છે, અને તે મૂળો એકબીજામાં
ગૂંથાઈ જાય છે, અને આ કર્મોમાંથી,પછી નવી નવી
ડાળીઓ નું નિર્માણ થાય છે....(૨)
હવે કોઈ ના મનમાં એવી શંકા આવે કે-આ આટલા મોટા પ્રચંડ
–સંસારવૃક્ષ ને ઉખેડી શકે તેવું
શું (કોઈ સાધન) હોઈ શકે ?
પણ-જે સાચું નથી-(જે સંસાર સાચો નથી) તેને ઉખેડી
નાખવામાં વળી કયા સાધન ની જરૂર ?
જે વૃક્ષ નું વર્ણન કર્યું છે-તે તો વાંઝિયા ના
ઘરમાં છોકરાં-છૈયાં છે-એમ કહેવા સમાન જ છે.
જે જ્ઞાની છે-તેને આ સંસારરૂપી વૃક્ષની વાર્તા સ્પષ્ટ
સમજાય છે-
કે આ સર્વ માયા છે,આ સર્વ મિથ્યા છે, આ સર્વ
અજ્ઞાન છે.
વ્યવહાર માં અજ્ઞાન હોય ત્યાં સુધી જ –આ વૃક્ષ નો
અંત નથી –એમ કહેવાય છે.
જ્યાં સુધી બ્રહ્મજ્ઞાન –પ્રાપ્ત થયું નથી-ત્યાં
સુધી-આ સંસારરૂપી અશ્વત્થ-વૃક્ષ નો અંત નથી.
એટલે જ શ્રીકૃષ્ણ કહે છે-કે-દૃઢ વૈરાગ્ય થી ઉપજેલ
આત્મજ્ઞાન ની તલવાર થી (શસ્ત્રથી) આ બળવાન
સંસારરૂપી વૃક્ષ – અશ્વત્થ ને તુ ઉપરનાં મૂળ સહિત
કાપી નાખ.(તેનો નાશ કર)......(૩)
આત્મજ્ઞાન ની તલવાર સરળતાથી વાપરી શકાય,તે માટે
બુદ્ધિ માં વૈરાગ્ય નું પ્રબળ બળ હોવું જોઈએ.
ઓકેલા અન્ન –પર જેટલી પ્રબળ ત્યાગવૃત્તિ થાય છે-
તેવી ત્યાગ-બુદ્ધિ જગતના સર્વ “ભોગો” પર થવી
જોઈએ.
પદાર્થ માત્ર –પ્રત્યે-તીવ્ર “અનાદર” ઉત્પન્ન થાય
–તેવો દૃઢ વૈરાગ્ય જોઈએ.
હવે જે –સારરૂપ વાત-જ્ઞાનેશ્વર કહે છે-તે
સમજવામાં થોડુંક અઘરું લાગે.
પણ ધ્યાન થી વાંચવાથી કદાચ-આ સુંદર વાત સમજી શકાય
તેવી જરૂર છે.
અહંતારૂપી મ્યાન (મ્યાન=તલવાર નું કવર) માંથી, વૈરાગ્યરૂપી ખડગ (તલવાર) કાઢી,
(વિચારયુક્ત) બુદ્ધિરૂપી હાથમાં તે ગ્રહણ
કરવું જોઈએ. પછી તે ખડગ ને –
વિવેકરૂપી સરાણ (ધાર કાઢવાનો પથ્થર) પર ઘસીને-
“અહમ બ્રહ્મ” ના બોધ ની તીવ્ર ધાર કાઢવી, અને તેને અદ્વૈતરૂપી પાણી ચઢાવવું.
આટલું થાય પછી,નિશ્ચયરૂપી મુઠ્ઠી થી તે
ખડગ ને પકડી.મનન કરી તેને એક-બે વાર અજમાવી જોવું.
ખડગ નું જ્ઞાન અને તે ખડગ ની ક્ષમતા –એ બંને નું
ઐક્ય થવાથી-
આપણા આઘાત ને સહન કરવા માટે તે દ્વૈત રૂપી
વૃક્ષ ત્યાં ઉભું પણ રહેશે નહિ.