Apr 21, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-1-Adhyaya-15-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-1-અધ્યાય-15


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૫

ગીતા-અધ્યાય-૭-શ્લોક-૪-૫માં જે અપરા અને પરા પ્રકૃતિના નામથી- તથા-
અધ્યાય-૧૩-શ્લોક-૧ માં જે ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના નામથી જે વર્ણન છે-તે જ બંનેનું અહીં હવે-ક્ષર અને અક્ષર ના નામથી વર્ણન કર્યું છે.અને આ બંનેથી જુદા કે જેને પરમાત્મા કહે છે-તે-ઉત્તમ પુરુષ –પુરુષોત્તમ –નું વર્ણન કરી અત્યંત ગુહ્ય જ્ઞાન બતાવ્યું છે.

Apr 20, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૪

શ્રીકૃષ્ણ કહે છે-કે-સર્વે પ્રાણીઓના (જીવોના) હૃદયમાં (અંતઃકરણમાં) નિવાસ કરનારો હું (ઈશ્વર) છું.મારાથી જ (ઈશ્વરથી જ) –સર્વ પ્રાણીઓને (જીવોને)
જ્ઞાન અને સ્મૃતિ (યાદ રહેવું તે) ઉત્પન્ન થાય છે. વળી મારાથી જ (ઈશ્વરથી જ)
અજ્ઞાન અને વિસ્મરણ (ભૂલી જવું તે) પણ ઉત્પન્ન થાય છે.