ગીતા-અધ્યાય-૭-શ્લોક-૪-૫માં જે અપરા અને પરા
પ્રકૃતિના નામથી- તથા-
અધ્યાય-૧૩-શ્લોક-૧ માં જે ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના
નામથી જે વર્ણન છે-તે જ બંનેનું અહીં હવે-ક્ષર અને અક્ષર ના નામથી વર્ણન કર્યું છે.અને આ
બંનેથી જુદા કે જેને પરમાત્મા કહે છે-તે-ઉત્તમ પુરુષ –પુરુષોત્તમ –નું વર્ણન કરી અત્યંત
ગુહ્ય જ્ઞાન બતાવ્યું છે.