Jun 29, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-3-Adhyaya-32-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-3-Adhyaya-32


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-3-Adhyaya-31-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-3-Adhyaya-31


Gujarati-Ramayan-Rahasya-02-ગુજરાતી-રામાયણ-રહસ્ય-02

આ જગત પ્રભુનો આવિર્ભાવ છે,જગતમાં સર્વ જગ્યાએ પ્રભુ સિવાય બીજું કશું નથી.
પ્રભુનું સ્વ-રૂપ એ આનંદ-સ્વ-રૂપ છે.રામજીના ચરણમાં આનંદ,રામજીના મુખમાં આનંદ,રામજીના હાથમાં આનંદ.....રામજીનું આખું શ્રી-અંગ આનંદ-આનંદ છે.
આનંદ સિવાય બીજું કશું નથી.કેટલાક કહે છે કે “ઈશ્વરમાં આનંદ” છે,પરંતુ તેમ નથી, “ઈશ્વર જ આનંદ છે." ઈશ્વર અને આનંદ એ બે અલગ તત્વો નથી. 
ઈશ્વરથી અલગ-ઈશ્વરથી સ્વતંત્ર કોઈ તત્વ છે જ નહિ.
વ્યાસજી કહે છે કે-પરમાત્મા આનંદ-મય છે,આનંદ અને ઈશ્વર ભિન્ન નથી.આ જ અદ્વૈત સિદ્ધાંત છે.