Jul 2, 2021

Gujarati-Ramayan-Rahasya-05-ગુજરાતી-રામાયણ-રહસ્ય-05

ગાડી,વાડી,લાડી –વગેરે જો,શરીરને સદાને માટે સુખ આપતાં હોય-તેવું જો લાગતું હોય તો,શરીર બિમાર થાય અને અસ્વસ્થ બને તો તે સુખ કેમ સુખ લાગતું નથી? ઇન્કમટેક્સની રેડ પડે ત્યારે ગાડી-વાડી-કેમ દુઃખમય બની જાય છે? પેટમાં ચૂંક આવતી હોય તો શીખંડ-પુરી અને પકવાનનો થાળ કેમ સુખ આપતો નથી? નજીકના કોઈ સગાનું અચાનક મૃત્યુ થાય,ત્યારે “મારે પણ આ બધું છોડી મરવું પડશે-જવું પડશે” એ વિચારથી શોક કેમ થાય છે? દીકરો –દીકરી કહ્યામાં ના રહે,મન માની કરે-ત્યારે સંસાર કેમ ખારો થઇ જાય છે?