Jul 7, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-7-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-7


Gujarati-Ramayan-Rahasya-08-ગુજરાતી-રામાયણ-રહસ્ય-08

દુનિયાના સાધારણ વ્યવહારમાં સુખ-સમૃદ્ધિ (ધન-મકાન વગેરે) મળે,તેના માટે ભક્તિ કરવી –એ ભક્તિનો હેતુ ન હોવો જોઈએ.કારણ કે આવા દુન્યવી સુખો ક્ષણિક (નાશવંત) છે,આવે છે ને જાય છે.પણ ભક્તિનું ફળ અ-મૃત (ના મરે તેવો-નિત્ય-) આનંદ છે.તે આનંદ ક્ષણિક નથી.

મનુષ્ય ધન મેળવવા દુઃખો વેઠીને જેટલો પ્રયત્ન કરે છે, એટલો પ્રયત્ન જો,પ્રભુ પ્રાપ્તિ માટે કરવામાં આવે તો તેનો બેડો પાર થઇ જાય.પરમાત્માને “મન” આપવાનું છે,ધન (લક્ષ્મી) નહિ.પરમાત્મા ધનથી મળતા નથી.પ્રભુને ધનની જરૂર નથી, લક્ષ્મીના પતિને ધનની શું જરૂર?