Jul 8, 2021

Devi Apradh(Devyaaparadh)-Stotra -With Gujarati Font-Shloka & GujaratiTranslation)-દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર

Gujarati-Ramayan-Rahasya-09-ગુજરાતી-રામાયણ-રહસ્ય-09

ઈશ્વરનું “નામ” (રામ-નામ) એ મૃત્યુની –મૃત્યુના બીકની દવા (ઔષધિ) છે.
મૃત્યુ-રૂપી મહારોગની “રામ-બાણ” દવા (ઔષધિ-ઉપચાર) તે “રામ-નામ”

લોકો મૃત્યુને અમંગળ માને છે પણ મૃત્યુ અમંગળ નથી,મૃત્યુને અમંગળ આપણે કલ્પ્યું છે,અને તે કલ્પના કરનારું આપણું મન છે.અને આપણું મન શુદ્ધ નથી,તેથી તે મૃત્યુથી બીએ છે.મૃત્યુ એ તો પરમાત્માનો સેવક છે.પરમાત્મા મંગળમય છે એટલે તે મૃત્યુ પણ મંગળમય છે.જેને પાપનો વિચાર પણ આવતો નથી,અને જેણે પાપ કર્યું નથી,તેને બીક નથી,તેનું મૃત્યુ મંગળમય છે.