Jul 12, 2021

Gujarati-Ramayan-Rahasya-12-ગુજરાતી-રામાયણ-રહસ્ય-12

સીતાજીના હરણ પછી,શ્રીરામ શબરીના આશ્રમમાંથી નીકળી,પંપા સરોવરના કિનારે લક્ષ્મણજી જોડે વાર્તાલાપ કરતા બેઠા હતા,ત્યારે શંકરજી આકાશમાંથી તેમને નિહાળી રહ્યા હતા,શંકરજીને રામજી પ્રસન્ન ચિત્ત દેખાય છે.પણ તે જ સમયે નારદજી ત્યાં આવે છે તેમને શ્રીરામ વિરહવંત દેખાય છે.ઈશ્વરના સ્વરૂપની આ બલિહારી છે.