Aug 10, 2021

Gujarati-Ramayan-Rahasya-39-ગુજરાતી-રામાયણ-રહસ્ય-39

દરેક મનુષ્યને રૂપિયાનો મોહ છે પણ જો તેના હાથમાં ખોટો રૂપિયો આપવામાં આવશે તો લેશે નહિ.આ બતાવે છે કે-દરેક ને રૂપિયાનો મોહ છે પણ ખોટા રૂપિયાનો મોહ નથી.તેમ આ ખોટા (અસત્ય-મિથ્યા) સંસાર પર મોહ કરવા જેવો નથી.જગતના જીવોના મિલનમાં સુખ થાય છે પણ વિયોગમાં અતિશય દુઃખ થાય છે.જ્યાં મિલન છે ત્યાં વિયોગ લખાયેલો જ છે.મિલનનું સુખ સ્થાયી નથી,માટે જગતના જીવો પર દિલ ચોંટાડવા જેવું નથી.