Aug 12, 2021

Gujarati-Ramayan-Rahasya-41-ગુજરાતી-રામાયણ-રહસ્ય-41

શિવજીનો મહેલ બની ગયો પણ વાસ્તુ-પૂજા કર્યા વગર મહેલમાં તો રહેવા જવાય નહિ.વાસ્તુપૂજા કોણ કરે ?પૂજા કરનારો વિદ્વાન અને શિવભક્ત જોઈએ.અને આવો એક જણ હતો તે –રાવણ.શિવજીએ તેને વાસ્તુ-પૂજન કરવા બોલાવ્યો.પૂજન પછી બ્રાહ્મણને દક્ષિણા આપવી પડે.શિવજીએ કહ્યું કે-દિલ ચાહે તે દક્ષિણામાં માગી લે.