Aug 17, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-13-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-13


Gujarati-Ramayan-Rahasya-46-ગુજરાતી-રામાયણ-રહસ્ય-46

આ રીતે વિધિપૂર્વક એકાદશી ના થાય તો પણ પોતાની મર્યાદા અનુસાર મહિનામાં એક-બે દિવસ અન્નનો ત્યાગ કરીને દૂધ કે ફળ પર રહી શકાય.આરોગ્યની દૃષ્ટિ એ પણ આ વ્રત આવશ્યક છે.આજકાલ લોકો ડોક્ટરો પર બહુ વિશ્વાસ કરે છે પણ વાલ્મીકિ જેવા ઋષિ-મુનિઓ પર વિશ્વાસ નથી કરતા.ડોક્ટર કહે કે-ટાઈફોઈડ થયો છે ને એકવીસ દિવસ અનાજ ખાવાનું નથી તો એને લોકો માનશે.પણ જો સંતો કહે કે-શરીરના,મનના અને આંતરિક સ્વાસ્થ્ય માટે એકાદશી કરો તો કોઈ માનતું નથી.અને આવી એકાદશીઓ ના કરનારને ભગવાન એકી સામટી ૨૧ એકાદશીઓ ઉપર મુજબ કરાવે છે