Aug 18, 2021

Gujarati-Ramayan-Rahasya-47-ગુજરાતી-રામાયણ-રહસ્ય-47

અતિ દુર્લભ એવા રામજીના સ્મિતમાં,કૌશલ્યાને ભગવાનના વિરાટ સ્વ-રૂપનાં દર્શન થાય છે.
શ્રીરામના રોમ રોમમાં તેમણે કરોડો બ્રહ્માંડો જોયાં.એ વિરાટ સ્વરૂપમાં અસંખ્ય સૂર્ય,ચંદ્ર,શિવ,બ્રહ્મા,પર્વતો નદીઓ,સમુદ્રો,પૃથ્વી,વન,કાળ,ગુણ, જ્ઞાન અને સ્વભાવો જોયાં.
ભયભીત થઇને ભગવાનની સામે હાથ જોડી ઉભેલી માયાને જોઈ.માયાના નચાવતા જીવો જોયા ને માયાના પાશમાંથી છોડાવતી ભક્તિને પણ જોઈ.એ જોઈને તેમને રોમાંચ થયો,એમના મુખમાંથી એક શબ્દ પણ નીકળી શક્યો નહિ.એમની આંખો મીંચાઈ ગઈ,અને પ્રભુ ચરણમાં માથું નમાવ્યું.બીજી જ પળે પ્રભુએ બાળ-સ્વરૂપ ધારણ કરી લીધું અને મા મા કરીને કૌશલ્યામાના ખોળામાં જઈ બેસી ગયા.

Aug 17, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-13-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-13


Gujarati-Ramayan-Rahasya-46-ગુજરાતી-રામાયણ-રહસ્ય-46

આ રીતે વિધિપૂર્વક એકાદશી ના થાય તો પણ પોતાની મર્યાદા અનુસાર મહિનામાં એક-બે દિવસ અન્નનો ત્યાગ કરીને દૂધ કે ફળ પર રહી શકાય.આરોગ્યની દૃષ્ટિ એ પણ આ વ્રત આવશ્યક છે.આજકાલ લોકો ડોક્ટરો પર બહુ વિશ્વાસ કરે છે પણ વાલ્મીકિ જેવા ઋષિ-મુનિઓ પર વિશ્વાસ નથી કરતા.ડોક્ટર કહે કે-ટાઈફોઈડ થયો છે ને એકવીસ દિવસ અનાજ ખાવાનું નથી તો એને લોકો માનશે.પણ જો સંતો કહે કે-શરીરના,મનના અને આંતરિક સ્વાસ્થ્ય માટે એકાદશી કરો તો કોઈ માનતું નથી.અને આવી એકાદશીઓ ના કરનારને ભગવાન એકી સામટી ૨૧ એકાદશીઓ ઉપર મુજબ કરાવે છે