સ્વયંવરની શરત સાંભળીને સભામાં સન્નાટો છવાઈ ગયો.કોણ પહેલ કરે? તે જ વખતે રાવણ આકાશમાર્ગે જતો હતો તે મોટો મંડપ જોઈને નીચે ઉતરી આવ્યો.રાવણને જોતાં જ સભામાં ખળભળાટ મચી ગયો.જનકરાજા વિનયી હતા.વણનોતર્યો પણ અતિથી છે એટલે તેને આસન આપ્યું.રાવણે પ્રસંગનું પ્રયોજન પૂછ્યું.ને જવાબ મળતાં ગુસ્સો કરી પૂછ્યું કે-મને આમંત્રણ કેમ નહિ આપેલું? જનક રાજા વિચારે છે કે –આ પાપને ઠારવું પડશે.એટલે તેમણે કહી દીધું કે –મેં મંત્રીને સર્વ રાજાઓને આમંત્રણ આપવાનું કહ્યું હતું પણ મંત્રીજી કદાચ ભૂલી ગયા હશે.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Sep 6, 2021
Sep 5, 2021
Gujarati-Ramayan-Rahasya-64-ગુજરાતી-રામાયણ-રહસ્ય-64
રામ-લક્ષ્મણ ફુલ-તુલસી લઈને વિશ્વામિત્રજી પાસે પાછા આવ્યા.ત્યારે રામજીએ વિશ્વામિત્રને કહ્યું કે-જેનો સ્વયંવર થવાનો છે તે રાજ-કન્યા પણ બગીચામાં આવી હતી.
'સરલ સ્વભાવ,છુઅત છલ નહિ' રામજીનો સ્વભાવ અતિ સરળ છે તેમનામાં લેશમાત્ર કપટ નથી,શ્રીરામની વાત સાંભળી મુનિ મલકાયા અને તેમણે કહ્યું-કે-હું બધું જાણું છું,કે સીતા ત્યાં રોજ આવે છે,એટલે જ મેં તમને ત્યાં મોકલ્યા હતા કે જેથી એ મારા રામને નિહાળે. પછી તેમણે શ્રીરામને આશીર્વાદ આપ્યા કે-તમારા મનોરથો સફળ થાઓ.
'સરલ સ્વભાવ,છુઅત છલ નહિ' રામજીનો સ્વભાવ અતિ સરળ છે તેમનામાં લેશમાત્ર કપટ નથી,શ્રીરામની વાત સાંભળી મુનિ મલકાયા અને તેમણે કહ્યું-કે-હું બધું જાણું છું,કે સીતા ત્યાં રોજ આવે છે,એટલે જ મેં તમને ત્યાં મોકલ્યા હતા કે જેથી એ મારા રામને નિહાળે. પછી તેમણે શ્રીરામને આશીર્વાદ આપ્યા કે-તમારા મનોરથો સફળ થાઓ.
Subscribe to:
Comments (Atom)

