કૌશલ્યામાની વ્યવહારમાં જરીક ભૂલ થઇ એનું પરિણામ ભયંકર આવ્યું. મંથરાની ઈર્ષ્યા છંછેડાયેલા સાપની જેમ જાગી ઉઠી.અને તેનું મન અને બુદ્ધિ “રાજ્યાભિષેકને કેમ કરી ને રોળી નાખું “તેમાં લાગી ગઈ. તે ઉદાસ થઇ ને ઝેરી નાગણ જેવી થઇ કૈકેયીની પાસે ગઈ.
મંથરા કૈકેયી પાસે આવી જોરથી રડવા લાગી અને નાટક કર્યું છે. કંઈ બોલતી નથી અને નિસાસા નાખે છે.એણે રડતી જોઈ કૈકેયીએ પૂછ્યું-કેમ રડે છે? શું કોઈએ ધોલ-ધપાટ કરી છે કે શું? તોયે મંથરા કશું બોલતી નથી.નાગણ બોલે ખરી? એ તો ડંશ જ દે ને?
મંથરા કૈકેયી પાસે આવી જોરથી રડવા લાગી અને નાટક કર્યું છે. કંઈ બોલતી નથી અને નિસાસા નાખે છે.એણે રડતી જોઈ કૈકેયીએ પૂછ્યું-કેમ રડે છે? શું કોઈએ ધોલ-ધપાટ કરી છે કે શું? તોયે મંથરા કશું બોલતી નથી.નાગણ બોલે ખરી? એ તો ડંશ જ દે ને?

