મને આનંદ થાય છે.તમારો મારા પર ભરત કરતાં પણ અધિક પ્રેમ છે.
મને ઋષિ-મુનિઓનો સત્સંગ થાય-અને મારું કલ્યાણ થાય –તે માટે તમે વનમાં મોકલો છો-
તેનાથી વધુ સારું શું ? મા,મને વનવાસ આપવામાં પણ તમે મારા
સુખનો જ વિચાર કર્યો છે,વળી આ તો પિતાજીની આજ્ઞા છે તે આજ્ઞા
પાળવામાં મારું સર્વ પ્રકારે કલ્યાણ થશે.અને વળી મારો પ્રાણપ્રિય ભરત રાજા થશે.

