બીજે દિવસે,જનકજીએ ભરતને કહ્યું કે-શ્રીરામનો સ્વભાવ તમે જાણો છે,તેઓ સત્યવ્રત અને ધર્મનિષ્ઠ છે,બધું તે એકલા એકલા જ મનમાં સહન કરી રહ્યા છે,હવે તો તમે કહો તેમ થાય.ત્યારે ભરત કહે છે કે-હું તો કેવળ સેવક છું,સેવા-ધર્મ મહા-કઠિન છે,સ્વામીની સેવા અને સ્વાર્થની સેવા એક સાથે થઇ શકે નહિ.હું સ્વાર્થવશ થઇને કે પ્રેમવશ થઈને કંઈ કહું તો બંનેમાં ભૂલ થવા સંભવ છે.માટે. રામજીની ઈચ્છા અને તેમના ધર્મ અને સત્યવ્રત સાચવીને સર્વનું હિત થાય તેમ તમે જ કંઈક કરો.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Oct 25, 2021
Oct 23, 2021
Oct 22, 2021
Gujarati-Ramayan-Rahasya-109-ગુજરાતી-રામાયણ-રહસ્ય-109
શોક ના કરો.જીવની ગતિ ઈશ્વરાધીન છે.હું નિશ્ચયપૂર્વક કહું છું કે,ત્રણે ભવનોના
પુણ્યાત્મા લોકો,તમારા કરતાં ઉતરતા છે. હે ભરત,તમારા નામનું સ્મરણ કરતાં સર્વ તાપ,પાપ,અજ્ઞાન અને અમંગલનો નાશ થશે,અને આ લોકમાં તથા પરલોકમાં સુખ પ્રાપ્ત થશે.વેર અને પ્રેમ ઢાંક્યાં ઢંકાતાં નથી,પારધીને જોતાં જ પશુ પંખીઓ ભાગી જાય છે અને મુનિઓ પાસે તે નિર્ભય થઇ ને ફરે છે.પશુપંખીઓ પણ પ્રેમને ઓળખે છે,તો મનુષ્ય કેમ ઓળખી શકે નહિ?
હું તમને ઓળખું છું.તેથી તમે જે કહો તે કરવા હું તૈયાર છું.
Subscribe to:
Comments (Atom)

