Apr 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-152

 
અધ્યાય-૧૬૦-કુંતીનો બ્રાહ્મણને પ્રશ્ન 

II कुन्त्युवाच II कुतोमुलमिदं दुःखं ज्ञातुमिच्छामितत्वत्तः I विदित्वाप्यकर्पेयं शक्यं चेदपकर्पितुम् II १ II

કુંતી બોલી-તમારા આ દુઃખનું મૂળ ક્યાં છે?તે હું તત્ત્વતઃ જાણવા ઈચ્છું છું,

તે જાણીને,તે દુઃખ દૂર કરવાનું શક્ય હશે તો હું તેમ કરીશ,માટે તે તમે મને કહો (1)

બ્રાહ્મણ બોલ્યો-હે તપોધના,તમે જે બોલો છે તે સંતોને છાજે તેવું છે,પણ મારુ આ દુઃખ કોઈ માનવીથી દૂર 

થાય તેમ નથી.આ દુઃખ એ છે કે-નગરની સમીપ મહાબળવાન બક (બકાસુર) નામનો રાક્ષસ રહે છે જે આ નગર અને પ્રદેશનો સ્વામી છે.માણસનું માંસ ખાઈને તે દુર્બુદ્ધિ પુષ્ટ થયો છે,(જો કે) તે આ પ્રદેશનું નિત્ય રક્ષણ કરે છે 

કે જેથી,અમને કોઈ શત્રુઓને પ્રાણીઓની ભીતિ નથી.(2-5)

Apr 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-151

અધ્યાય-૧૫૯-બ્રાહ્મણપુત્ર ને પુત્રીનાં વચન 

II वैशंपायन उवाच II तयोर्दुखितयोर्वाक्यमतिमात्रं निशम्य तु I ततो दुःखपरितांगी कन्या तावम्यभाषत II १ II

વૈશંપાયન બોલ્યા-તે બેઉ (પતિ-પત્ની)નાં વચનોને પુરાં સાંભળીને સર્વાંગે દુખે ઘેરાયેલી તે કન્યા (પુત્રી)

તે બંનેને કહેવું લાગી કે-'તમે બંને અત્યંત દુઃખાતુર થઇ અનાથની જેમ કેમ રોઈ રહ્યા છો? તમે મારુ વચન સાંભળો અને તે સાંભળીને તમને યોગ્ય લાગે તેમ કરો.ધર્મ અનુસાર તમારે બંને મારો જ ત્યાગ કરવો ઘટે છે,એમાં સંશય નથી.ટી ત્યજવાને યોગ્ય એવી મને ત્યજીને તમે સૌની રક્ષા કરો.'સંતતિ પોતાને તારશે' એ હેતુથી જ સૌ સંતતિને ઈચ્છે છે,તો આ આવી ઉભેલા સંકટકાળે તમે મને હોડી રૂપ કરીને તરી જાઓ.(1-4)

Apr 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-150

 
અધ્યાય-૧૫૮-બ્રાહ્મણીનાં વચન 

II ब्राह्मण्युवाच II न संतापस्तव्या कार्यः प्राकृतेनेव कहिचित् I न हि संतापकालोऽयं वैद्यस्य तव विद्यते II १ II

બ્રાહ્મણી બોલી-પ્રાકૃત માણસની જેમ,તમારે,ક્યારેય આવો સંતાપ કરવો ન જોઈએ.તમારા જેવા વિદ્વાનને માટે આ સંતાપનો સમય નથી.આ લોકમાં સૌ મનુષ્યોને,એક દિવસ તો મરણના પંથે જવાનું જ છે.માટે,તેને માટે સંતાપ કરવો યોગ્ય નથી.પત્ની,પુત્ર,પુત્રી -એ સૌને,સર્વ લોક સ્વકલ્યાણ માટે જ ઈચ્છે છે.તમે સદબુદ્ધિ ધારણ કરીને વ્યથાને છોડી દો,

હું પોતે જ (બકાસુર રાક્ષસ પાસે) ત્યાં જઈશ,કેમ કે સ્ત્રીઓનું સનાતન કર્તવ્ય છે કે પત્નીએ પ્રાણને ઓવારીને પણ સ્વામીની હિત આચરવું.પત્નીનો એ મહાન ધર્મ છે.