May 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-167

 
અધ્યાય-૧૮૨-વસિષ્ઠે નિયોગ કેમ કર્યો?

II अर्जुन उवाच II राज्ञा कल्माषपादेन गुरौ ब्रह्मविदांपरे I कारणं किं पुरस्कृत्य भार्या वै संनियोजिता II १ II

અર્જુન બોલ્યો-હે ગંધર્વ,કયા કારણથી,કલ્માષપાદ રાજાએ,પોતાની પત્ની સાથે,વસિષ્ઠનો નિયોગ કરાવ્યો?

પરમ ધર્મને જાણનારા વસિષ્ઠે આવું,પુત્રવધુ જેવી સ્ત્રી સાથે ગમન કેમ કર્યું? મારા આ સંશયનું નિવારણ કરો 

Apr 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-166

 
અધ્યાય-૧૮૦-ઔર્વના ક્રોધની શાંતિ-ને વડવામુખ અગ્નિની ઉત્પત્તિ 

II और्व उवाच II उक्तवानस्मि यां क्रोधात् प्रतिज्ञां पितरस्तदा I सर्वलोकविनाशाय न सा मे वितथा भवेत् II १ II

ઔર્વ બોલ્યા-હે પિતૃઓ,ક્રોધમાં આવીને,સર્વ લોકના વિનાશની મેં જે પ્રતિજ્ઞા કરી છે તે મિથ્યા નહિ થાય.

ક્રોધ અને પ્રતિજ્ઞામાં હું વ્યર્થ થવા ઈચ્છતો નથી,કેમ કે,જેમ,અગ્નિ અરણિને બાળી મૂકે,તેમ પર ન પડેલો રોષ 

મને જ બાળી નાખે.જે મનુષ્ય,કારણસર ઉપજેલા ક્રોધને શમાવવાનું યોગ્ય ધારે છે,તે ધર્મ,અર્થ અને કામ એ 

ત્રણનું સારી રીતે રક્ષણ કરવા સમર્થ થતો નથી.અસભ્ય મનુષ્યોને અંકુશમાં લાવવા ને સભ્ય મનુષ્યોનું સંરક્ષણ કરવા,ને સર્વને જીતવા ઇચ્છતા રાજાઓએ યોગ્ય સ્થાને રોષ (ક્રોધ) કરવો જ જોઈએ.(1-4)

Apr 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-165

અધ્યાય-૧૭૮-વસિષ્ઠે કહેલું ઔર્વનું ઉપાખ્યાન 

II गन्धर्व उवाच II आश्रमस्था ततः पुत्रंदश्यन्ति व्यजायत I शक्तेः कुलकरं राजन् द्वितीयमिवशक्तिनं II १ II

ગંધર્વ બોલ્યો-હે રાજન,પછી,આશ્રમમાં રહેલી,અદશ્યન્તીએ શક્તિના કુળને વધારનાર,બીજા શક્તિ જેવા

એક પુત્રને જન્મ આપ્યો.વસિષ્ઠે પોતે જ તે પૌત્રની જાતકર્માદિ ક્રિયાઓ કરી.તે ગર્ભમાં હતો ત્યારે,વસિષ્ઠ,

પરાસુ (પ્રાણમુક્ત) થવાના નિશ્ચય પર હતા,તેથી આ લોકમાં તે પરાશર (મરણ માટે નિશ્ચયીને (પરાસુને)

આશ્વાસન આપનાર) તરીકે ઓળખાયો.તે ધર્માત્મા વસિષ્ઠને જ પોતાના પિતા માનતા હતા 

ને જન્મથી જ તે તેમના તરફ પિતાની જેમ વર્તતા (1-4)