May 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-194

 
અધ્યાય-૨૧૬-વર્ગા અપ્સરાની શાપમુક્તિ 

II वैशंपायन उवाच II ततः समुद्रे तीर्थानि दक्षिणे भरतर्पम: I अभ्यगच्छत्सुपुण्यामि शोभितानि तपस्विमिः II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ભારતવંશમાં શ્રેષ્ઠ એવો તે અર્જુન,તપસ્વીઓથી શોભતા દક્ષિણ સમુદ્ર પરનાં પુણ્યતીર્થોમાં ગયો.ત્યાં અગસ્ત્ય,સૌભદ્ર,પૌલોમ,કારંધમ,ને ભારદ્વાજ નામના પાંચ તીર્થોનાં તેણે દર્શન કર્યાં.

જો કે આ તીર્થો તપસ્વીઓથી ત્યજાયેલાં હતાં,એટલે અર્જુને ત્યાં હાજર રહેલ કોઈ સાધુને પૂછ્યું કે-

'હે બ્રહ્મવાદી,તપસ્વીઓ આ તીર્થનો ત્યાગ કેમ કરે છે?' ત્યારે તેણે કહ્યું કે-આ તીર્થોમાં પાંચ મોટા મગરમચ્છો 

રહે છે અને તે તપસ્વીઓને ખેંચી જાય છે એટલે તપસ્વીઓ આ તીર્થમાં રહેતા નથી' (1-6)

May 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-193

 
અધ્યાય-૨૧૫-અર્જુનનાં ચિત્રાંગદા સાથે લગ્ન 

II वैशंपायन उवाच II कथयित्वा च तत्सर्वं ब्राह्मणेभ्य: स भारत I प्रपयौ हिमवत्पार्श्वं ततो वज्रधरात्मजः II १ II

વૈશંપાયન બોલ્યા-અર્જુને તે બધી વાત બ્રાહ્મણોને કહી સંભળાવી અને પછી,ત્યાં અગસ્ત્ય વટ આગળ જઈને વસિષ્ઠ પર્વત પર ગયો ને ભૃગુતુંગ (તુંગનાથ)માં જઈ પહોંચ્યો.હિરણ્યતીર્થમાં સ્નાન કરીને,તેણે અનેક પુણ્યસ્થાનોનાં દર્શન કર્યા ને પછી બ્રાહ્મણોની સાથે તે ,એ સ્થાનોમાંથી નીચે ઉતરી પૂર્વ તરફ ચાલ્યો.

ને તેણે નૈમિષારણ્ય તરફ વહેતી ઉત્પલીની,નંદા,અપરનંદા,યશસ્વિની,કૌશિકી.મહાનદી-આદિનાં દર્શન કર્યા.

આમ સર્વ તીર્થો તથા આશ્રમોના દર્શન કરીને તેણે બ્રાહ્મણોને ગાયોનું દાન આપ્યું.(1-8)

May 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-192

અધ્યાય-૨૧૪-અર્જુન અને ઉલૂપીનો મેળાપ 


II वैशंपायन उवाच II तं प्रयान्तं महाबाहु कौरवाणां यशस्करं I अनुजग्मुर्महात्मानो ब्राह्मणा वेदपारगा II १ II

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,કૌરવ વંશનો યશ વધારવાવાળો અર્જુન જયારે ત્યાંથી જવા લાગ્યો ત્યારે,

તેની સાથે વેદજ્ઞ મહાત્મા બ્રાહ્મણો પણ તેની સાથે જવા લાગ્યા.વળી,આધ્યાત્મચિંતન કરવાવાળા,ભિક્ષાચારી બ્રહ્મચારી,ભગવદ્ભક્ત,પુરાણોના જ્ઞાતા સૂત,કથાવાચક,સન્યાસી,વાનપ્રસ્થ વગેરે પણ તેની સાથે ગયા.(1-3)