અધ્યાય-૪-યુધિષ્ઠિરનો સભાપ્રવેશ
II वैशंपायन उवाच II ततः प्रवेशनं तस्यां चक्रे राजा युधिष्ठिरः I अयुतं भोजयित्वा तु ब्राह्मणानां नराधिपः II १ II
વૈશંપાયન બોલ્યા-તે પછી,નરપતિ યુધિષ્ઠિરે દશ હજાર બ્રાહ્મણોને ભોજન આપ્યું અને તે સભામાં પ્રવેશ કર્યો.
હે રાજન,વિવિધ દિશાઓથી આવેલા તે બ્રાહ્મણોને વિવિધ પ્રકારના ભોજન જમાડી,ફુલમાળાઓ આપી,ને વધુમાં પ્રત્યેકને હજાર હજાર ગાયો આપી.તે વખતે થયેલો પુણ્યાહવાચનનો ઘોષ આકાશ સુધી પહોંચ્યો.

