Jun 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-215

અધ્યાય-૪-યુધિષ્ઠિરનો સભાપ્રવેશ 


II वैशंपायन उवाच II ततः प्रवेशनं तस्यां चक्रे राजा युधिष्ठिरः I अयुतं भोजयित्वा तु ब्राह्मणानां नराधिपः II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,નરપતિ યુધિષ્ઠિરે દશ હજાર બ્રાહ્મણોને ભોજન આપ્યું અને તે સભામાં પ્રવેશ કર્યો.

હે રાજન,વિવિધ દિશાઓથી આવેલા તે બ્રાહ્મણોને વિવિધ પ્રકારના ભોજન જમાડી,ફુલમાળાઓ આપી,ને વધુમાં પ્રત્યેકને હજાર હજાર ગાયો આપી.તે વખતે થયેલો પુણ્યાહવાચનનો ઘોષ આકાશ સુધી પહોંચ્યો.

Jun 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-214

અધ્યાય-૩-દિવ્યસભાનું નિર્માણ 

II वैशंपायन उवाच II अथाब्रवीन्मय: पार्थमर्जुनं जायतां वरम् I आप्रुच्छे त्यांगमिप्यामि पुनरेष्यामि चाप्यहम II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,મયે અર્જુનને કહ્યું કે-તમે રજા આપો તો હું હમણાં મૈનાક પર્વત પર જઈને તરત જ પાછો આવું,કેમ કે કૈલાશની ઉત્તરે આવેલા એ મૈનાક પર્વત પર પૂર્વે દાનવો યજ્ઞ કરતા હતા ત્યારે,મેં બિંદુ સરોવર આગળ એક વિચિત્ર અને રમ્ય,મણિમય પાત્ર બનાવ્યું હતું,ને પછી તે વૃષપર્વાની સભામાં મૂક્યું હતું,

તે લઈને હું પાછો આવીશ અને સર્વ રત્નોથી વિભૂષિત થયેલી એક વિચિત્ર સભા હું અહીં બનાવીશ.

Jun 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-213

અધ્યાય-૨-શ્રીકૃષ્ણનું દ્વારકાગમન 

II वैशंपायन उवाच II उपित्वा खाण्डवप्रस्थे सुखवासं जनार्दनः I पाथै: प्रीतिसमायुक्तै: पुजनार्होSभिपूजितः II १ II

વૈશંપાયન બોલ્યા-'હવે,પૂજનીય જનાર્દને,પ્રીતિયુક્ત પાંડવો સાથે વાસ કરીને તથા તેમનાથી સત્કાર પામતા રહીને,પિતાના દર્શનની ઈચ્છાથી દ્વારકા જવાનો નિર્ણય કર્યો.તેમણે ધર્મરાજ અને કુંતીની આજ્ઞા લીધી,ને ફોઈ કુંતીના ચરણમાં મસ્તક ઢાળી પ્રણામ કર્યા.પછી તે ભગિની સુભદ્રાને મળ્યા,ત્યારે સુભદ્રાએ,વારંવાર શિર નમાવી નમસ્કાર કર્યા ને સ્વજનોને ઉદ્દેશીને કુશળ સમાચાર કહેવડાવ્યા.ત્યારે બાદ,દ્રૌપદી અને ધૌમ્યને મળીને,

અર્જુન અને ભાઈઓ પાસે આવ્યા,ત્યારે પાંચે પાંડવો તેમને વીંટળાઈને તેમને ભેટી રહ્યા.