Jun 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-221

 
અધ્યાય-૭-ઇન્દ્રની સભાનું વર્ણન 

II नारद उवाच II शक्रस्य तु सभा दिव्य भाखरा कर्मनिर्मिता I स्वयं शक्रेण कौरव्य निर्जितार्कसमप्रभा II १ II

નારદ બોલ્યા-હે કુરુવંશી,ઇન્દ્રની તે દિવ્ય સભા વિશ્વકર્માએ નિર્માણ કરી છે અને  એ સૂર્ય જેવી પ્રભાવાળી સભાને ઇન્દ્રે પોતે વિજયમાં મેળવી છે.તે સો યોજન પહોળી,દોઢસો યોજન લાંબી ને પાંચ યોજન ઊંચી છે.તે આકાશમાં વિરાજિત ને ઈચ્છીત ગતિવાળી છે.તેમાં ઘડપણ,શોક કે ક્લેશનું નામ નથી.ઉપદ્રવહીન,મંગલમયી,શુભતાભરી,

સુભવનવાળી,સુઆસનભરી અને રમણીય એવી તે દિવ્ય વૃક્ષોથી શોભી રહી છે.અનુપમ સુંદર શરીરવાળા,

મુકુટધારી, લાલ બાજુબંધ સજેલા,નિર્મળ વસ્ત્ર પહેરેલા અને સુંદર માળા પહેરેલા,દેવરાજ ઇન્દ્ર,શ્રી,લક્ષ્મી,હ્રીં,

કીર્તિ અને દ્યુતિ સહિત પોતાની મહેન્દ્રાણી (પત્ની) સાથે એ સભામાં પરમ આસને વિરાજે છે (5)

Jun 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-220

અધ્યાય-૬-યુધિષ્ઠિરની બીજી સભાઓ વિષે પૂછપરછ 

II वैशंपायन उवाच II संपूज्याथाभ्यनुज्ञातो महर्षेर्वचनात परम् I प्रत्युवाचानुपुर्व्येण धर्मराजो युधिष्ठिरं II १ II

વૈશંપાયન બોલ્યા-મહર્ષિનાં વચન સાંભળીને,ધર્મરાજ યુધિષ્ઠિરે તેમનું સન્માન કરી,રજા લઈને ક્રમ પ્રમાણે પૂછ્યું 

યુધિષ્ઠિર બોલ્યા-હે ભગવાન,તમે ધર્મના નિશ્ચયને ન્યાયપૂર્વક અને યથાવત કહ્યો.હું યથાન્યાયે શક્તિ અનુસાર એ વિધિએ જ વર્તુ છું.પૂર્વના રાજાઓએ જે કાર્યો કર્યા હતા,તે ન્યાયસંગત,અર્થવાળાં,હેતુયુક્ત હતાં,એમાં સંશય નથી.

અમે પણ એ માર્ગે જ જવા ઇચ્છીએ છીએ,પરંતુ તે જિતેન્દ્રિય રાજાઓની જેમ અમે ચાલી શકતા નથી.(4)

મનના જેવા વેગવાળા તમે,બ્રહ્માએ નિર્મેલા અનેક નાનાવિધ લોકોને પહેલેથી સદા જોતા આવ્યા છો. 

હે બ્રહ્મન,તમે આ સભાના જેવી અથવા એથી ચડિયાતી એવી બીજી કોઈ સભા પૂર્વે કદી જોઈ છે? (9)

Jun 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-219

તમે જ્ઞાતિજનોને,ગુરુઓને,વૃદ્ધોને,દેવતાઓને,તપસ્વીઓને,ચૈત્યવૃક્ષોને ને બ્રાહ્મણોને નમન કરો છો ને?

હે નિષ્પાપ,તમે કોઈને શોક કે રોષ તો ઉપજાવતા નથી ને?પુરોહિત આદિ મંગલકારી માણસો સદા તમારી પાસે રહે છે ને? આવરદા ને યશ વધારનારી,તેમ જ ધર્મ,અર્થ કામ દર્શાવનારી આ જે બુદ્ધિ અને વૃત્તિ કહી,તેવી જ તમારી વૃત્તિ ને બુદ્ધિ છે ને? આવી બુદ્ધિથી વર્તનાર રાજાનો દેશ કોઈ પણ કાળે દુઃખમાં પડતો નથી,

તે રાજા પૃથ્વી પર જય મેળવીને પરમ સુખ ભોગવે છે.(106)