Jul 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-239

દિગ્વિજય પર્વ 

અધ્યાય-૨૫-દિગ્વિજયનું સંક્ષિપ્ત વર્ણન 

II वैशंपायन उवाच II प्रार्थः प्राप्य धनुः श्रेष्ठमक्षय्यो च महेपुधि I रथं ध्वजं समां चैव युधिष्ठिरम मापत II १ II

વૈશંપાયન બોલ્યા-ઉત્તમ ધનુષ્ય,બે અક્ષય ભાથા,રથ,ધજા ને સભા પ્રાપ્ત કરીને અર્જુને યુધિષ્ઠિરને કહ્યું કે-

'હે રાજન,ધનુષ્ય,અસ્ત્રો,બાણો,શક્તિ,પક્ષ,ભૂમિ,યશ અને બળ-એ બધી મારી મનગમતી વસ્તુઓ દુર્લભ હોવા છતાં મને મળી છે,આથી હવે મને લાગે છે કે-ભંડારમાં ભરતી લાવવી જોઈએ.હે રાજન,હું સર્વ રાજાઓ પાસેથી કર ઉઘરાવીશ.ને હવે શુભ તિથિ,મુહૂર્ત ને નક્ષત્ર હું કુબેરે રક્ષેલી ઉત્તર દિશા તરફ વિજયપ્રસ્થાન કરવાનું વિચારું છું.

Jul 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-238

અધ્યાય-૨૪-જરાસંઘનો વધ 

II वैशंपायन उवाच II भीमसेनस्तत: कृष्णमुवाच यदुनंदनम I बुध्धिमास्थाय विपुलां जरासंघश्चवधेप्सया  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ભીમસેને પોતાની વિશાલ બુદ્ધિનો સહારો લઈને,જરાસંઘના વધની ઈચ્છાથી,

શ્રીકૃષ્ણને કહ્યું કે-'આ જરાસંઘે,લંગોટથી પોતાની કમર ખૂબ જ કસી લીધી છે,આ પાપીના પ્રાણ મારા વશમાં આવે તેમ મને લાગતું નથી'ત્યારે શ્રીકૃષ્ણે ભીમસેનને ઉત્તેજિત કરતાં કહ્યું કે-'હે ભીમ તારું જે સર્વોત્કૃષ્ટ દૈવી સ્વરૂપ છે,તે અને વાયુદેવતાએ તને જે બળ આપ્યું છે,તેનો હવે આજે જરાસંઘ પર ઉપયોગ કરી બતાવ.

Jul 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-237

 
અધ્યાય-ભીમ સાથે યુદ્ધમાં જરાસંઘને થાક 

II वैशंपायन उवाच II ततस्तं निश्चितात्मानं युद्धाय यदुनन्दनः I उवाच वाग्मी राजानं जरासंघमधोंक्षज  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,યુદ્ધને માટે નિશ્ચિત મનવાળા થયેલા જરાસંઘ રાજાને,વાણીમાં કુશળ શ્રીકૃષ્ણે કહ્યું કે-

'હે રાજન,ત્રણમાંથી કયા એકની સાથે તારું મન ઉત્સાહ ધરે છે? અમારામાંથી કોણ તારી સાથે યુદ્ધ કરવા તૈયાર થાય?' ત્યારે જરાસંઘે,ભીમસેનની સાથે ગદાયુદ્ધ માગી લીધું.એટલે તે વખતે,ગોરોચન,માળાઓ,મંગલ પદાર્થો,

મુખ્ય ઔષધિઓ ને ભાન લાવનારાં સાધનો લઈને પુરોહિત ત્યાં જરાસંઘ પાસે આવ્યો.તે બ્રાહ્મણે રાજાને

સ્વસ્તિવાચન કર્યું,એટલે ક્ષાત્રધર્મને સંભારતો જરાસંઘ યુદ્ધ માટે તૈયાર થયો.(5)