Aug 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-256

 
અધ્યાય-૪૭-દુર્યોધનનો સંતાપ 

II वैशंपायन उवाच II वसन् दुर्योधनस्तस्यां सभायां पुरुषर्पम I शनैर्ददर्षतां सर्वा सभां शकुनिना सह II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજન,દુર્યોધન,તે વખતે મામા શકુનિ સાથે આખી સભાને ધીરે ધીરે જોઈ વળ્યો હતો.

પોતે પૂર્વે કદી નહિ જોયેલી,દિવ્ય સજાવટો તેણે તે સભામાં જોઈ.એક વાર જ્યાં સ્થળ હતું ત્યાં જળનો ભ્રમ થતાં,

તેણે પોતાના વસ્ત્રો ઊંચકી લીધાં,ને પોતે ભોંઠો પડી ગયો,ને બીજી વખતે જ્યાં જળ હતું ત્યાં સ્થળનો ભ્રમ થતાં,

તે પાણીમાં પડી ગયો.તેને પાણીમાં પડતો જોઈને ભીમસેન અને ભાઈઓ હસી પડ્યા,ને તેને નવાં વસ્ત્રો આપ્યાં.

પણ,તેમને હસતા જોઈને ચિડાઈ ગયેલો દુર્યોધન તેમને હસતા સાંખી શક્યો નહિ.(9)

Jul 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-255

 
દ્યુત પર્વ 

અધ્યાય-૪૬-વ્યાસનું સૂચન અને યુધિષ્ઠિરની પ્રતિજ્ઞા 

II वैशंपायन उवाच II समाप्ते राजसूये तु ऋतुश्रेष्ठे सुदुर्लभे I शिष्यै परिवृतो व्यासः पुरस्तान्समपद्यत II १ II

વૈશંપાયન બોલ્યા-અતિ દુર્લભ એવો રાજસૂય યજ્ઞ પૂરો થયો ત્યારે,શિષ્યોથી ઘેરાયેલા વ્યાસજી,યુધિષ્ઠિર પાસે આવ્યા.તેમને આવતા જોઈ,યુધિષ્ઠિર આસન પરથી એકદમ ઉભા થઇ,તેમને સામે લેવા ગયા,ને તેમને પાદ્ય-આસન આપીને તેમનું પૂજન કર્યું.સુવર્ણના આસન પર વિરાજીને વ્યાસજી બોલ્યા-'હે કુંતીનંદન,આનંદની વાત છે કે -દુર્લભ સામ્રાજ્ય પ્રાપ્ત કરીને તારી વૃદ્ધિ થાય છે,તેં સર્વ કૃરૂઓને ચડતી અપાવી છે.હવે હું તારી રજા માગું છું,હું અહીંથી કૈલાસ તરફ જવા માગું છું'  ત્યારે યુધિષ્ઠિર તેમને કહેવા લાગ્યા કે -

Jul 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-254

 

અધ્યાય-૪૫-શિશુપાલનો વધ 

II वैशंपायन उवाच II ततः श्रुन्वैवभीप्मस्य चेदिगडुरुविक्रमः I युयुन्सुर्वासुदेवेन वासुदेवगमुवाचह II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ભીષ્મનું આવું કહેવું સાંભળી,શિશુપાલે વાસુદેવ પ્રત્યે યુદ્ધ કરવાની ઈચ્છાથી તેમને કહ્યું કે-'હે જનાર્દન,હું તમને યુદ્ધનું આહવાહન આપું છું,હું તને પાંડવો સાથે પૂરો કરી દઈશ.કેમ કે પાંડવોએ રાજાઓને ઉલ્લંઘીને રાજા નહિ એવા તને અર્ઘપૂજા આપી છે,એટલે તે પાંડવો પણ મારે હાથે હણાવા યોગ્ય જ છે'

આમ કહીને તે ક્રોધયુક્ત શિશુપાલ ઉભો થઈને શ્રીકૃષ્ણ સામે ગર્જતો રહ્યો.