II दुर्योधन उवाच II यन्मया पांडवेयनां दृष्टं तच्छृणु भारत I आह्वतं भूमिपालैहि वसुमुख्यं ततस्ततः II १ II
દુર્યોધન બોલ્યો-હે ભારત,દેશદેશના રાજાઓ,પાંડુનંદનો માટે જે ધન લાવતા હતા તે જોઈને હું મૂઢ થઇ ગયો હતો,
મને યાદ પણ નથી કે કયા દેશથી,કોણ,કેટલું ધન લાવ્યા હતા ! તો પણ જે મુખ્ય હતું તે તમે સાંભળો.
કાંબોજરાજે સોનાથી મઢેલી અનેક શાલો,શ્રેષ્ઠ મૃગચર્મો,ત્રણસો ઘોડાઓ ને ત્રણસો ઊંટો ભેટ ધર્યા હતાં.
ગાયબળદથી આજીવિકા ચાલાવનાર ગોવાસન બ્રાહ્મણો,ત્રણ ખર્વ જેટલા ધનની ભેટ લાવ્યા હતા,
તેમને દરવાજે રોકવામાં આવ્યા હતા,તેથી તેઓ ત્યાં જ ઉભા રહ્યા હતા.ને ગાયો પાળનારા સેંકડો બ્રાહ્મણોના
ટોળાઓ,સુવર્ણના સ્વચ્છ કમંડલુંઓ ઘીથી ભરીને આવ્યા હતા,ને તેઓ પણ અંદર પ્રવેશ કરી શક્યા નહોતા.


