Aug 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-269

અધ્યાય-૬૨-વિદુરનાં હિતવચન 

II वैशंपायन उवाच II एवं प्रवर्तिते ध्युते घोरे सर्वापहारिणी I सर्वसंशयनिर्मोक्ता विदुरो वाक्यमब्रवीत II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે સર્વસ્વનું હરણ કરનારું જુગટુ ચાલી રહ્યું હતું,ત્યારે સર્વ સંશયોને છેદનારા,

વિદુરજીએ,ધૃતરાષ્ટ્રને કહ્યું કે-હે મહારાજ,આ જાણી લો કે,જેમ,મારવા પડેલા મનુષ્યને ઓસડની રુચિ રહેતી નથી,તેમ,હું જે વાત કહીશ,તે તમને ગમશે નહિ,છતાં પણ તમે સાંભળો.જે જન્મતાં જ,શિયાળવાની જેમ ભૂંડું ભૂંક્યો હતો,તે પાપી ચિત્તવાળો અને ભરતવંશનો નાશ લાવનારો આ દુર્યોધન તમારા સર્વનાશના હેતુરૂપ થયો છે.

તમે મોહને લીધે એને ઓળખતા નથી,પણ આ વિશેના શુક્રાચાર્યના જે નીતિવચન છે તે કહું છું,સાંભળો.(4)

Aug 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-268

 
અધ્યાય-૬૦-દ્યુતક્રીડાનો આરંભ 

II वैशंपायन उवाच II उपोह्यमाने ध्युते तु राजान: सर्व एव ते I धृतराष्ट्र पुरस्कृत्य विविशुस्तां सभां ततः II १ II 

વૈશંપાયન બોલ્યા-આમ,જયારે જુગારનો પ્રરામઃ થયો ત્યારે સર્વ રાજાઓ ધૃતરાષ્ટ્રની આસપાસ થવા આગળ આવ્યા.ભીષ્મ,દ્રોણ,કૃપ અને વિદુર પણ અસંતુષ્ટ ચિત્તથી તેમની પાછળ પાછળ આવ્યા ને આદાન ગ્રહણ કર્યા.

બધાએ આસાન ગ્રહણ કર્યા પછી જુગારનો પ્રારંભ થયો (5)

Aug 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-267

અધ્યાય-૫૯-યુધિષ્ઠિર અને શકુનિનો સંવાદ 

II वैशंपायन उवाच II प्रविश्य तां सभां पार्था युधिष्ठिरपुरोगमाः I समेत्व पार्थिवान सर्वान् पुजार्हानभि पूज्य च II १ II 

વૈશંપાયન બોલ્યા-પછી,યુધિષ્ઠિરને આગળ રાખીને પાંડવોએ તે સભામાં પ્રવેશ કર્યો,ને સર્વ પુજાયોગ્ય રાજાઓને મળી,તેમનું પૂજન કર્યું,ને વય પ્રમાણે તેમને નમસ્કાર આદિ કરીને,તેઓ મૂલ્યવાન પાથરણાં વાળા વિચિત્ર આસનો પર બેઠા.ત્યારે સુબલપુત્ર શકુનિ,યુધિષ્ઠિરને કહેવા લાગ્યો કે-'હે રાજન,તમારા પર સર્વ મીટ માંડી બેઠા છે,

હવે તમે પાસા નાખીને જુગતાની શરત થવા દો (4)