Oct 27, 2021

Gujarati-Ramayan-Rahasya-112-ગુજરાતી-રામાયણ-રહસ્ય-112

ભરતજીનું આ ચરિત્ર અતિ પાવનકારી છે,તુલસીદાસજી કહે છે કે-જે એનું ભક્તિ-પૂર્વક શ્રવણ-મનન કરશે,તેને અવશ્ય શ્રીસીતારામના ચરણોમાં પ્રેમ થશે,અને સંસારથી વૈરાગ્ય થશે.મહારાજા દશરથ,શ્રીરામને ગાદીએ બેસાડી રામરાજ્યની સ્થાપના કરવા માગતા હતા,પણ રામરાજ્યની સ્થાપના તેમને હાથે થઇ નથી,એ તો થાય છે ભરતજીના હાથે ચિત્રકૂટમાં.દશરથજીની રામરાજ્યનો સંકલ્પ શુભ છે,પવિત્ર છે તો યે તેમાં વિઘ્ન આવે છે.મહાન લક્ષ્ય તરફ આગળ વધતાં વિઘ્ન તો આવવાનું જ,જેટલું લક્ષ્ય મહાન એટલું વિઘ્ન મહાન.દશરથ રાજાના રામરાજ્યની સ્થાપનાના સંકલ્પમાં એવું મોટું વિઘ્ન આવ્યું કે-તેમાં દેશ,કાળ અને વ્યક્તિ પણ બદલાઈ જાય છે.

Oct 26, 2021

Vairagya Shataka-Bhratruhari-Gujarati Translation-વૈરાગ્ય શતક (ભર્તૃહરી)

Gujarati-Ramayan-Rahasya-111-ગુજરાતી-રામાયણ-રહસ્ય-111

શ્રીરામચંદ્રે સુવર્ણ પાદુકાઓ પર પોતાના ચરણ મુક્યા,ને પછી તે પાદુકાઓ ભરતજીને આપી.ભરતજીએ તે પોતાના બે હાથેથી લઈને પોતાના મસ્તક પર ચડાવીને,તેનો  સ્વીકાર કર્યો.તેમણે શાંત અને દૃઢ સ્વરે પ્રતિજ્ઞા કરતાં કહ્યું કે-હું ભરત,આજે અહીં પ્રતિજ્ઞા કરું છું કે,આ પાદુકાઓને રાજ-કારભાર સોંપી ,હું ચૌદ વર્ષ નગરની બહાર રહીશ,જટા-વલ્કલ ધારણ કરીશ,કંદમૂળ ખાઈશ,ભોંય પર પથારી કરીશ,અને પંદરમા વર્ષના પહેલા દિવસે જો મને રામજીનાં દર્શન નહિ થાય તો ચિતામાં પ્રવેશ કરીશ. 
આ સાંભળીને સૌની આંખો છલકાઈ આવી,બધા “ધન્ય હો,ધન્ય હો” બોલી રહ્યા.

Oct 25, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-7-Adhyaya-8-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-7-અધ્યાય-8


Gujarati-Ramayan-Rahasya-110-ગુજરાતી-રામાયણ-રહસ્ય-110

બીજે દિવસે,જનકજીએ ભરતને કહ્યું કે-શ્રીરામનો સ્વભાવ તમે જાણો છે,તેઓ સત્યવ્રત અને ધર્મનિષ્ઠ છે,બધું તે એકલા એકલા જ મનમાં સહન કરી રહ્યા છે,હવે તો તમે કહો તેમ થાય.ત્યારે ભરત કહે છે કે-હું તો કેવળ સેવક છું,સેવા-ધર્મ મહા-કઠિન છે,સ્વામીની સેવા અને સ્વાર્થની સેવા એક સાથે થઇ શકે નહિ.હું સ્વાર્થવશ થઇને કે પ્રેમવશ થઈને કંઈ કહું તો બંનેમાં ભૂલ થવા સંભવ છે.માટે. રામજીની ઈચ્છા અને તેમના ધર્મ અને સત્યવ્રત સાચવીને સર્વનું હિત થાય તેમ તમે જ કંઈક કરો.