Nov 2, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૧૬

જેની આંખોમાં વિષમતા છે,એનું મન બગડે છે.પણ જે માત્ર એક આંખથી જગતને જુએ,એટલે કે,જગતને એક જ ભાવથી જુએ,સમાન ભાવથી જુએ તેનું મન બગડતું નથી.
ભગવાન શ્રીરામે જયંતની એક જ આંખ ફોડી,તેને સજા નથી કરી પણ સમાનતાનો પાઠ ભણાવ્યો છે.મનુષ્યને પ્રભુ વારંવાર પાઠ શીખવે છે,છતાં તે સુધરતો નથી અને પછી,તેને શિક્ષા થાય છે.પાઠથી સુધરી જાય તે ખાનદાન અને પાઠથી સુધરે નહિ તે દૈત્ય.

Nov 1, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૧૫-અરણ્ય-કાંડ

અરણ્યકાંડ
શ્રી રામચંદ્ર,સીતાજી ને લક્ષ્મણજી ચિત્રકૂટમાં નિવાસ કરી રહ્યા છે.તેમનાં દર્શન કરવા,અને તેમની સાથે જ્ઞાન-ચર્ચા કરવા,દૂરદૂરથી ઋષિ-મુનિઓ તેમની પર્ણકુટીમાં આવે છે.જેમનું મન પ્રભુ-ભાવથી ભીનું છે,તેને તેને રામજીના ચરણમાં અને રામજીનાં દર્શનમાં સુખનો અનુભવ થાય છે, દેવો વિચારે છે કે હવે પોતાનું કામ થશે,રાવણનો સંહાર થશે,અને ભયમુક્ત થવાશે –એ વિચારથી પ્રસન્ન છે અને એશ-આરામમાં મસ્ત રહે છે.