Dec 10, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-040

અધ્યાય-૫૫-આસ્તીકે કરેલી રાજાની સ્તુતિ 


II आस्तिक उवाच II सोमस्य यज्ञो वरुणस्य यज्ञः प्रजापतेर्यज्ञ आसीत् प्रयागे I 

तथा यज्ञोSयं तव भारतग्र्य पारिक्षित स्वस्ति नोSस्तु प्रियेभ्य II १ II

આસ્તીક બોલ્યો-હે પરીક્ષિત પુત્ર,જન્મેજય,જેવો સોમનો યજ્ઞ થયો હતો,જેવો વરુણનો યજ્ઞ થયો હતો,

અને જેવો પ્રયાગમાં પ્રજાપતિનો યજ્ઞ થયો હતો,તેવો તારો આ યજ્ઞ છે.તો,અમારા પ્રિયજનોનું કલ્યાણ થાઓ,

હે જન્મેજય,ઇન્દ્રે સો યજ્ઞો કાર્ય હતા,પણ તારો આ યજ્ઞ એવા દશ હજાર યજ્ઞોની બરાબર આવે છે.

તો,અમારા પ્રિયજનોનું કલ્યાણ થાઓ.

Dec 9, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-039

 

અધ્યાય-૫૪-સર્પસત્રમાં આસ્તીકનું આગમન 


II सौतिरुवाच II तत आहूय पुत्रं स्वं जरत्कारुर्भुजंगमा I वासुकेर्नागराजस्य वचनादिद मव्रतित  II १ II

નાગરાજ વાસુકિનાં વચન સાંભળીને,નાગિની જરત્કારુએ પોતાના પુત્રને બોલાવીને કહ્યું કે-,મારા ભાઈએ,મને,

તારા પિતાને  નિમિત્તે લગ્નમાં આપી હતી,તેનો વખત હવે આવી ગયો છે,તો તું યથાર્થ કર.

આસ્તીક બોલ્યો-'મામાએ શા નિમિત્તે લગ્નમાં આપી હતી તે તું  યથાવત મને કહે,પછી હું યથાયોગ્ય કરીશ.

Dec 8, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-038

અધ્યાય-૫૨-સર્પોનો હોમ


II सौतिरुवाच II ततः कर्म प्रववृत्ते सर्पसत्रविधानत: I पर्यक्रामंश्च विधिवत स्वे स्वे कर्मणि याजकाः II १ II

સૂતજી બોલ્યા-પછી,સર્પસત્રના વિધાન મુજબ,કર્મની પ્રવૃત્તિ શરુ થઇ,ને યાજક લોકો યથાવિધિ પોતપોતાના કર્મોમાં લાગી ગયા,ધુમાડાથી જેમની આંખો લાલ થઇ છે એવા,તે ઋત્વિજો,કાળા વસ્ત્રોના ઉપરણો ઓઢીને,વિધિપૂર્વક મંત્રોચ્ચાર સાથે પ્રદીપ્ત અગ્નિમાં આહુતિ ચડાવવા લાગ્યા.પછી,સઘળા સર્પોના નામ દઈને,

અગ્નિના મોંમાં હોમવા માંડ્યા ત્યારે,હીન શબ્દોથી એકબીજાને બોલાવતા,તરફડિયાં મારતા,ફેણ પ્રસારીને,

પૂંછડાં તરફથી,એકબીજાને વીંટી વળતા તે સર્પો,ભડભડતા અગ્નિમાં આવીને પડવા લાગ્યા.

Dec 7, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-037

અધ્યાય-૫૧-સર્પસત્રનો આરંભ 


II सौतिरुवाच II एवमुक्त्वा ततः श्रीमान्मंत्रिभिश्वानुमोदितः I आरुरोह प्रत्तिज्ञां स सर्पसत्राय पार्थिवः II १ II

સૂતજી બોલ્યા-એ પ્રમાણે કહ્યા પછી,મંત્રીઓથી અનુમોદન પામેલા એવા રાજાએ સર્પસત્ર માટે પ્રતિજ્ઞા કરી.

પછી,રાજાએ ઋત્વિજો અને પુરોહિતોને બોલાવીને કહ્યું કે-જે દુરાત્મા તક્ષકે મારા પિતાને મારી નાખ્યા છે,

તેનો બદલો હું કેવી રીતે લઉં? તમે એવું કોઈ કર્મ જાણો છો કે -જેથી હું તે તક્ષક અને તેનાં સગાવહાલાંને  ભડભડતા અગ્નિમાં નાખી શકું? હું તે સર્વ પાપી સર્પોને બાળી નાખવા ઈચ્છું છું.(1-6)

Dec 6, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-036

 

અધ્યાય-૫૦-જન્મેજય અને મંત્રીઓનો સંવાદ 

II मंत्रिण उचुः II ततः स राज राजेन्द्र स्कन्धे तस्य भुजङ्गमम् I मुनेः क्षुत्क्षाम आसज्य स्वपुरं प्रपयौ पुनः  II १ II

મંત્રીઓ બોલ્યા-હે રાજેન્દ્ર,ભૂખથી વ્યાકુળ થયેલા,તે રાજા,મુનિના ખભા પર સર્પ નાખીને,પોતાના નગરમાં પાછા ફર્યા,

તે ઋષિને,ગાયના ગર્ભમાંથી જન્મેલ,શૃંગી નામનો પુત્ર હતો,તેણે પોતાના મિત્ર પાસેથી સાંભળ્યું કે-

પરીક્ષિત રાજાએ તેના પિતાનું અપમાન કર્યું છે,ત્યારે,શૃંગીએ ક્રોધમાં આવી,હાથમાં પાણી લીધું,અને તમારા

પિતાને શાપ આપ્યો કે-જેણે મારા પિતા પર મરેલો શાપ નાખ્યો છે,તેને આજથી સાતમા દિવસે,

તક્ષકનાગ,કરડશે,અને તેનો જીવ લેશે.(1-16)