Feb 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-104

 
અધ્યાય-૧૧૨-કુંતીની સાથે પાંડુના લગ્ન 

II वैशंपायन उवाच II सत्वरुपगुणोपेता धर्मारामा महाव्रता I दुहिता कुन्तिभोजस्य पृथा पृथुललोचना II १ II

કુંતીભોજની વિશાળ નેત્રવાળી પુત્રી પૃથા (કુંતી),મહાવ્રતીની અને સત્વ,રૂપ ને ગૂંથી સંપન્ન હતી.ને 

આ યૌવનવંતી કન્યાને કેટલાયે રાજાઓએ પ્રાર્થી (ઈચ્છી) હતી.કુંતીભોજે,તેનો સ્વયંવર રચાવ્યો હતો,

તે સ્વયંવરમાં,કુંતીએ રાજાઓમાં સિંહ જેવા,વિશાલ છાતીવાળા,બીજા ઈન્દ્રની જેમ વિરાજેલા,

પાંડુને જોયા,ને તે હૃદયથી વ્યાકુળ થઇ,કુંતીના અંગમાં અનગ વ્યાપ્યો,

ને શરમાતાં શરમાતાં,તેણે,રાજા પાંડુના ગળામાં હાળમાળા પહેરાવી દીધી.(1-8)

Feb 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-103


 અધ્યાય-૧૧૧-કર્ણનો જન્મ 

II वैशंपायन उवाच II शूरो नाम यदुश्रेष्ठो वसुदेवपिताSभवत् I तस्य कन्या पृथा नाम रूपेणाप्रतिमाSभुपि II १ II

યદુઓમાં શ્રેષ્ઠ એવા શૂરસેન નામે વસુદેવના પિતા હતા.તેમને પૃથ્વીમાં અજોડ રૂપવાળી પૃથા નામે એક કન્યા હતી.તેણે પોતાના,સંતાનવિહીન ફોઈના છોકરા કુંતીભોજને પોતાનું પહેલું બાળક આપવાની અગાઉથી 

પ્રતિજ્ઞા કરી હતી,તેથી તે સત્યવાદી શૂરસેને પોતાની પહેલી કન્યા પૃથાને કુંતીભોજને આપેલી.(1-3)

Feb 22, 2023

Amazon AD

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-102

 
અધ્યાય-૧૧૦-ધૃતરાષ્ટ્રનાં ગાંધારી સાથે લગ્ન 

II भीष्म उवाच II गुणैः समुदितं सभ्यगिदं नः प्रथितं कुलं I अत्यन्यान्प्रुथिवीपालान् पृथिव्यामधिराज्यभाक्II १ II

ભીષ્મ બોલ્યા-આપણું આ પ્રસિદ્ધ કુળ,સારી રીતે ગુણોથી પ્રકાશી રહ્યું છે,અને બીજા પૃથ્વીપાલો કરતાં,તે પૃથ્વીમાં અધિરાજય ભોગવે છે.આપણા આ કુળને પૂર્વે,ધર્મજ્ઞ રાજાઓએ રક્ષ્યુ છે અને આ લોકમાં કદી પણ ઉચ્છેદ પામ્યું નથી.મેં,સત્યવતી ને મહાત્મા વ્યાસે,કુળના તંતુઓરૂપ એવા તમારામાં તેને ફરીવાર સંસ્થાપિત 

કર્યું છે.આથી,મારે તેમ જ તમારે નિઃસંશય એવું કરવું જોઈએ કે જેથી આ કુળ વિશાલ વૃદ્ધિ પામે.

Feb 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-101

 
અધ્યાય-૧૦૯-પાંડુનો રાજ્યાભિષેક 

II वैशंपायन उवाच II तेपु त्रिपु कुमारेषु जातेषु कुरुजांगलं I कुरुवोSथ कुरुक्षेत्रं त्रयवेत दवर्धत II १ II

તે ત્રણ કુમારો (ધૃતરાષ્ટ્ર-પાંડુ-વિદુર) જન્મતાં,કુરુઓ અને કુરુજાંગાલ તથા કુરુક્ષેત્ર-એ ત્રણે ઉન્નતિને પામ્યાં.

ભૂમિ ધાન્યવાળી ને ધાન્ય રસવાળાં થયાં.ઋતુએ વરસાદ વરસવા લાગ્યો,વૃક્ષો ફૂલ-ફળ ને રસ વાળા થયાં.

પશુ-પંખીઓ આનંદિત થયાં,વણિકો ને શિલ્પીઓથી નગરો ભરાઈ ગયાં.શૂરવીર,વિદ્વાનો અને સંતો સુખસંપન્ન થયા,

ત્યારે કોઈ ચોરી થતી નહોતી,અધર્મ થતો નહોતો,ને રાજ્યના સર્વ પ્રદેશોમાં સતયુગ વર્તતો હતો.(1-5)