II भीमसेन उवाच II स्मरंति वैरं रक्षांसि मायमाश्रित्य मोहिनीं I हिडिम्बे व्रज पन्थानं स्वमिमं भ्रातृसैवितम् II १ II
ભીમ બોલ્યો-'હે હિડિમ્બા,રાક્ષસો મોહિની માયાનો આશ્રય કરીને પોતાના વેરોને સંભારી રાખે છે,
તો તું પણ તારા ભાઈએ સેવેલા (રાક્ષસી)રસ્તે પડ.'
યુધિષ્ઠિર બોલ્યા-'હે ભીમ,તું ક્રોધમાં સ્ત્રીનો વધ કરીશ નહિ,શરીરના રક્ષણ કરતાં ય તું ધર્મનું અધિક રક્ષણ કર,
વધની ઈચ્છાએ આવેલા તે હિડિમ્બને તે માર્યો છે,તો તે રાક્ષસની બહેન ક્રોધે ભરાઈને આપણને શું કરી શકશે?'




